કોરોના સંકટના કારણે દેશમાં લૉકડાઉનની સ્થિતિ ચાલી રહી છે, જોકે ધીરે ધીરે કેટલાક ક્ષેત્રોમાં અનલૉક થઇ રહ્યું છે. જોકે લૉકડાઉન દરમિયાન ધંધા રોજગારના અનેક ગણિતો ખોટા પડી રહ્યા હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. હાલમાં માલની અછત, કાળા કારોબારને લઇને વધુ ભાવ, બલ્ક બાઈંગનો ડર, મેન પાવરની અછત વગેરે જેવા અનેક મુદ્દાઓ ધંધાઓને અસર પહોંચાડી રહ્યા છે. આવા સંજોગોમાં લૉકડાઉન બાદ રાજ્યમાં સૌથી વધુ આપઘાતના બનાવો સામે આવ્યા છે.
લૉકડાઉન બાદ સૌથી વધુ અપઘાતો
15 દિવસમાં 25થી વધુ લોકોએ કર્યા આપઘાત
કોરોના કરતા આપઘાતના બનાવો વધ્યા
રાજ્યમાં લૉકડાઉન બાદ આપઘાત અને આપઘાતના પ્રયાસોના સૌથી વધુ બનાવો બન્યા છે. જેમાં રાજકોટમાં પણ આપઘાતના બનાવો વધ્યા છે. રાજ્યમાં 15 દિવસમાં 15થી વધુ લોકોએ આપઘાત કર્યા છે. ત્યારે આ આપઘતાના બનાવો કોરોના કરતા પણ વધ્યા છે. રાજ્યમાં રાજકોટ, અમદાવાદ, જામનગર, જૂનાગઢ સહિત રાજ્યમાં ગત દિવસોમાં અનેક આપઘાતના બનાવો સામે આવ્યા છે.
ગત 23 જૂને રાજકોટના અમિન માર્ગ પર આવેલા ત્રિશા બિલ્ડીંગમા યુવકે આપઘાત કર્યો હતો. બિલ્ડીંગમાં મોર્ડર સલૂન નામની દુકાન ચાલવતા હિરેન રાઠોડ નામના 22 વર્ષીય યુવકે આપઘાત કર્યો હતા. લૉકડાઉન બાદ ધંધો ન જામતા ભાડાની દુકાનમાં શરૂ કરેલા સલૂનમાં જ તેણે આપઘાત કર્યો હતો.
ગત 15 જૂને રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસથી એક યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જામનગર રોડ પર રહેતા પ્રફુલ નામના યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. શહેર પોલીસ કમિશનર કચેરીએ યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તો વ્યાજ બાબતે હેરાન કરતા હોવાનું પીડિતની બહેને આક્ષેપ કર્યો હતા.
ગત 18 જૂને જામ ખંભાળિયાના GIDCમાં ઉધોગપતિએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી હતી. પોતાની મિલમાં રિવોલ્વરથી ગોળી મારીને આપઘાત કર્યો હતી. ઉધોગપતિના આપઘાતનું કારણ જાણી શકાયું નથી.
ગત 19 જૂને અમદાવાદમાં વટવા જીઆઇડીસીમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી હતી. બે પરિવારે સામૂહિક આપઘાત કર્યો હતો. વટવામાં હાથીજણ સર્કલ પાસે આવેલા પ્રયોશા રેસિડન્સીમાં બે પરિવારના 6 લોકોએ આપઘાત કરી લીધો હતો. બે ભાઈઓ અને તેમના ચાર બાળકો સહિત 6 લોકોના મૃતદેહ પોલીસને ઘરમાંથી મળી આવ્યા હતા. પોલીસ આપઘાત પાછળ આર્થિક તંગીનું અનુમાન લગાવી રહી છે.
ગત 20 જૂને જામનગરમાં 42 વર્ષીય મહિલાએ આપઘાત કર્યો હતો. લાલપુરના રાસંગપર ગામમાં મહિલાએ આપઘાત કર્યો હતો. મળતી માહિતી મુજબ લોકડાઉનમાં દીકરાનો ધંધો બંધ થતા પરિવારને પરેશાની થઈ રહી હતી. આર્થિક સંકડામણના કારણે મહિલાઓઅ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.
ગત 27 જૂને જૂનાગઢના માંગરોળના ઓસાઘેડ ગામના ખેડૂતે આપઘાત કર્યો હતો. આર્થિક સંકડામણના કારણે ઝેરી દવા પી ખેડૂતે જીવન ટૂંકાવ્યું હતું. ખેડૂતોના ખીસ્સામાંથી સ્યૂસાઇડ નોટ મળી આવી છે. આ સ્યૂસાઇડ નોટમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી છે.