કોરોના સંક્રમણ મામલે હાઈકોર્ટમાં સુઓમોટોની સુનાવણી દરમિયાન આનંદ યાજ્ઞિકે રજૂઆત કરી કે, સ્પેશિયલ હોમ્સ, વૃદ્ધાશ્રમ, નારી સંરક્ષણ ગૃહમાં પણ લોકોને વેક્સિન મળતી નથી
રાજ્યમાં કોરોના અંગે HCમાં થયેલી સુઓમોટો અરજીનો મામલો
વકીલ એસો.ના એડવોકેટ આનંદ યાગ્નિકની HCમાં રજૂઆત
સ્પેશિયલ હોમ્સમાં લોકોને વેક્સિન નથી મળી રહીઃ આનંદ યાજ્ઞિક
રાજ્યમાં કોરોના અંગે HCમાં થયેલી સુઓમોટો અરજીના મામલે વકીલ એસો.ના એડવોકેટ આનંદ યાગ્નિકે રજૂઆત કરી હતી. આનંદ યાજ્ઞિકે રજૂઆત કરતા કહ્યું કે, સ્પેશિયલ હોમ્સમાં લોકોને વેક્સિન મળતી નથી. વૃદ્ધાશ્રમ, નારી સંરક્ષણ ગૃહમાં પણ લોકોને વેક્સિન મળતી નથી. રાજ્ય સરકારે વેક્સિન અંગે HCમાં પોતાનો બચાવ કર્યો હતો. સરકાર તરફથી જવાબ આપ્યો કે, સ્પેશિયલ હોમ્સમાં વેક્સિનની વ્યવસ્થા કરાઇ છે.
તો આ સાથે ગુજરાત સરકાર તરફથી મ્યુકર્માઈકોસિસની કામગીરી અંગે પણ સોગંદનામું રજૂ કરાયું હતું. જેમાં સરકારે એપ્રિલથી 13 જૂન સુધી કેન્દ્ર દ્વારા રાજ્યને મળેલા ઈન્જેક્શનો અંગે ઉલ્લેખ કરાયો છે. કેન્દ્ર દ્વારા રાજ્યને મ્યકર્માઈકોસિસની સારવાર માટે 54,411 ઈન્જેક્શન મળ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. અને તેમાંથી 37,494 ઈન્જેક્શન સરકારે વહેચણી કરી છે. અને હાલમાં 16,917 જેટલા ઈન્જેક્શન હાજર સ્ટોકમાં છે. અને ગુજરાતની વર્તમાન સ્થિતિમાં મ્યુકર્માઈકોસિસના કેસ વધુ ન હોવાથી ઈન્જેક્શનનો અભાવ નથી. તેવું પણ સરકાર તરફથી હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ છે.
જવલ્લે જ જોવા મળતો મ્યુકર્માઇકોસિસ ફુગથી થતો ગંભીર રોગ છે. મ્યુકર્માઇકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે. ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. મ્યુકર્માઇકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકર્માઇકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે.
હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકર્માઇકોસિસ રોગ થવાની સંભાવના વધુ છે.