ગુજરાત હાઇકોર્ટમાં આજે કોરોના વાયરસ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે હાઇકોર્ટે બે દિવસમાં એક્શન પ્લાનનો રિપોર્ટ મંગાવ્યો છે.
કોરોના વધતા કેસ મામલે સરકારને હાઈકોર્ટની ટિપ્પણી
લગ્ન-અંતિમ વિધિ સિવાયના તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ મુકો: HC
હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે માગ્યો એક્શન પ્લાનનો રિપોર્ટ
હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે માગ્યો એક્શન પ્લાનનો રિપોર્ટ
ગુજરાતમાં કોરોના વાયરસની લાથડતી પરિસ્થિતિ પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી જેમાં રેમડેસિવિર ઈન્જેક્શનથી લઈને રાત્રિ કર્ફ્યૂ મુદ્દે હાઇકોર્ટે ગુજરાત સરકારને આડે હાથ લીધી છે ત્યારે હવે હાઇકોર્ટે રાજ્ય પાસે એક્શન પ્લાનનો રિપોર્ટ માંગ્યો છે.
15 એપ્રિલના સવારે 11 વાગ્યે વધુ સુનાવણી હાથ ધરાશે
કોરોના મામલે 2 દિવસ બાદ હાઇકોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરાશે અને બે દિવસમાં હાઇકોર્ટે કોરોના સામે શું એક્શન પ્લાન રહેશે તેના પર એફિડેવિટ દાખલ કરવાના આદેશ આપ્યા છે. હવે 15 એપ્રિલના સવારે 11 વાગ્યે વધુ સુનાવણી હાથ ધરાશે.
તમે મીડિયાના રિપોર્ટમાં તથ્ય ન હોવાનું ન કહી શકો: HC
નોંધનીય છે કે આજે સરકાર તરફથી હાઇકોર્ટમાં મીડિયા રિપોર્ટ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા ત્યારે હાઇકોર્ટે સરકારને ખખડાવતા કહ્યું કે મીડિયામાં પણ કોઇ આધાર પર જ સમાચાર લખતા હશે. તમે મીડિયાના રિપોર્ટમાં તથ્ય ન હોવાનું ન કહી શકો.
અમને બીજા રાજ્યો વિશે નથી જાણવું : HC
રાજ્યમાં કોરોનાની સ્થિતિ મામલે હાઇકોર્ટ દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે કે અમારે બીજા રાજ્યોમાં શું થઇ રહ્યું છે તે નથી જાણવુ અમને ગુજરાતની સ્થિતી વિશે જ ચિંતા છે.
રેમડેસિવિર શા માટે હોસ્પિટલના દર્દીને જ અપાય છે: HC
ગુજરાતમાં કોરોના વાયરસની બગડતી પરિસ્થિતિ પર હવે ગુજરાત હાઇકોર્ટ મેદાનમાં આવી છે અને સૂઓમોટો કેસ દાખલ કરીને ગુજરાતની પરિસ્થિતિ પર સુનાવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત સરકારથી હાઇકોર્ટે વેધક સવાલ કર્યા છે.
તમામ વાતો અંગે સરકારને સૂચન કરવાની જરૂર નથી: HC
ગુજરાત સરકાર દ્વારા રજૂઆત કર્યા બાદ હાઇકોર્ટે સરકારને રેમડેસિવિર ઈંજેક્શનને લઈને સવાલો કર્યા છે કે રેમડેસિવિર શા માટે હોસ્પિટલના દર્દીને જ અપાય છે અને હોમ ક્વોરન્ટાઇન રહેલા દર્દીને રેમડેસિવિરની મંજૂરી કેમ નથી? હાઇકોર્ટે સૂચન કર્યું કે હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીને પણ ટ્રિટમેન્ટ મળવી જોઇએ. હાઇકોર્ટે કહ્યું કે સરકાર પોતાની રીતે પણ સ્થિતી જાણી શકે છે અને તમામ વાતો અંગે સરકારને સૂચન કરવાની જરૂર નથી. હાઇકોર્ટે પૂછ્યું કે શા માટે માત્ર એક જ સ્થળે રેમડેસિવિર મળે છે? અને શા માટે રેમડેસિવિર નર્સિગ હોમ,હોસ્પિટલો,મેડિકલ સ્ટોરમાં નથી મળતા.
આજની તારીખમાં પણ RT-PCR રિપોર્ટ માટે 3-4 દિવસ લાગે છે: HC
ગુજરાત હાઇકોર્ટે RTPCR ટેસ્ટ મુદ્દે કહ્યું કે સામાન્ય માણસને ટેસ્ટનો રિપોર્ટ મેળવવામાં 4થી 5 દિવસ લાગી રહ્યા છે જ્યારે અધિકારીઓને તો કલાકોમાં જ રિપોર્ટ મળી જાય છે. ટેસ્ટિંગ અને સેમ્પલ કલેક્શનમાં ઝડપ વધારવાની જરુંર છે. તાલુકા અને ગ્રામ લેવલે તો RT-PCR ટેસ્ટિંગની કોઈ વ્યવસ્થા જ નથી.