ગુજરાત હાઇકોર્ટે લાંચિયા અધિકારીઓ બાબતે કર્યુ અવલોકન, 'જે અધિકારી લાંચના કેસમાં પકડાયા તેમા ઢીલ ન રાખી શકાય'
લાંચિયા અધિકારીઓ સામે ગુજરાત હાઈકોર્ટનું સ્પષ્ટ વલણ
લાંચિયા અધિકારી સામે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્શન યથાવત રહે
જે અધિકારી લાંચના કેસમાં પકડાયા તેમા ઢીલ ન રાખી શકાય: હાઈકોર્ટ
લાંચિયા અધિકારીઓ સામે ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. લાંચિયા અધિકારી સામે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્શન યથાવત રાખવા જણાવ્યું છે. જો કે બરતરફીના કેસમાં હાઇકોર્ટે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે કાયદાકીય પ્રક્રિયા વગર બરતરફી થઇ હોય તો સરકાર પુનઃ નિયુક્તિ કરે. જો નિયુક્તિ આપ્યા બાદ પણ લાંચિયા અધિકારીઓને ખાતા સોંપાય તો ફરી ભ્રષ્ટાચાર અને લાંચની ઘટના બની શકે છે. જો કે હાઇકોર્ટે લાંચિયા અધિકારીનું સસ્પેન્શન ખાતાકીય તપાસ પુરી ન થાય ત્યાં સુધી યથવાત રાખવા તાકિદ કરી છે. જે અધિકારી લાંચના કેસમાં પકડાયા હોય તેવા અધિકારીઓને ઢીલ આપી શકાય નહી તેમ હાઇકોર્ટે અવલોકન કર્યું.
ચાલુ વર્ષમા સૌથી ભ્રષ્ટ ખાતાના આકંડા
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગૃહ વિકાસ વિભાગ - 18 કેસ
ગૃહવિભાગ - 16
મેહસુલ વિભાગ,- 16
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણમા - 11
હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાને સત્તાવાર ભાષા તરીકે સામેલ કરવી
ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ કામગીરી માટે ગુજરાતી ભાષાને સત્તાવાર ભાષા તરીકે સામેલ કરવા અંગે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અસીમ પંડ્યાએ રાજ્યપાલને લખેલા પત્રને લઇને હવે વિવાદ સર્જાયો હતો. ત્યારે હવે ગુજરાતી ભાષાને લઇને ગુજરાત હાઇકોર્ટના વકીલો વચ્ચે જૂથવાદ સામે આવ્યો છે. વિવાદ બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત મેદાને આવ્યું છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન સહિતના સભ્યો દ્વારા કાઉન્સીલને પત્ર
આ મામલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન સહિત કેટલાંક સભ્યોએ કાઉન્સિલને પત્ર લખ્યો છે. તમને જણાવી દઇએ કે, બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા સહિતના કેટલાક સભ્યો ગુજરાતી ભાષાના સમર્થનમાં છે. ત્યારે તેઓ રાજ્યપાલને મળી હાઇકોર્ટમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષામાં સુનાવણી કરવાની માંગ કરશે.