સરકારી કર્મીઓને રાહત આપતો હાઈકોર્ટે નિર્ણય જાહેર કર્યો છે. જેમાં યોગ્ય વાંધા રજૂ કરનાર અધિકારીને સરકાર દંડી નહી શકે તેવો નિર્ણય હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તેમજ સરકારી કર્મીઓને હવે માહિતી માંગવામાં ડરવાની જરૂર નથી.
સરકાર સામે વિરોધ કરવાનો કર્મચારીઓનો હક છે. તથા જો રજૂઆત અને માંગ યોગ્ય હોય તો દંડી શકાય નહિ. ભારતમાં બંધારણે આપેલ અધિકારીઓ સર્વોપરી હોવાનું હાઈકોર્ટ પોતાના નિર્ણયમાં કહ્યું છે.
મહત્વનું છે કે રાજ્યમાં કેટલીક માંગોને લઇને સરકારી કર્મચારીઓ હડતાળ અને વિરોધ કરે છે. ત્યારે હવે હાઇકોર્ટે નિર્ણય આપ્યો છે કે યોગ્ય વાંધો રજૂ કરનાર અધિકારીઓને સરકાર દંડી નહીં શકે. કર્મચારીઓનો સરકાર સામે વિરોધ કરવાનો હક છે. તેથી રજૂઆત અને માંગ યોગ્ય હોય તો દંડ નહીં ફટકારી શકાય.