ગુજરાત હાઈકોર્ટ આજે રાજ્યમાં કોરોનાની વણસી રહેલી સ્થિતિને પગલે સુઓમોટોની અરજીની સુનાવણી કરવાની છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતીને લઇ હાઇકોર્ટમાં સુઓમોટો
HCમાં રજાના દિવસે પણ દાખલ કરાઇ સુઓમોટો
આજે સુઓમોટો અરજી પર ચીફ જસ્ટિસની બેંચ દ્વારા સુનાવણી
રાજ્યમાં કોરોના વકરેલી સ્થિતિની ગંભીરતાને હાઈકોર્ટે ધ્યાને લીધી છે. કોરોનાના કારણે રાજ્યમાં ઇમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઇ હોવાનું હાઈકોર્ટનું તારણ છે. વિવિધ મુદ્દાને હાઇકોર્ટે સુઓમોટો જાહેર હીતની અરજી ગણી છે. રાજ્યમાં કોરોનાના આંકડા વધી રહ્યાં છે. ઇન્જેક્શનની અછત, હોસ્પિટલમાં બેડની સંખ્યાના મુદ્દાને ધ્યાને લેવાયા છે.
સ્મશાન ગૃહોની સ્થિતિ પણ હાઇકોર્ટે ધ્યાને લીધી છે. કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવા આદેશ કરવામાં આવ્યો છે. કોવિડ-19 મેનેજમેન્ટમાં સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. આજે ચીફ જસ્ટીસના વડપણવાળી બેંચ આ મામલે સુનાવણી કરશે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર હોવાનું કોર્ટનું તારણ છે.
ગુજરાતમાં વધતા કોરોનાના કેસને લઈને હાઈકોર્ટનો સરકારને નિર્દેશ કર્યો છે. રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે. રાજ્યમાં સરકાર 2 કે 3 દિવસના વિકેન્ડ કર્ફ્યું લગાવે તેઓ હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે. રાજ્યમાં કડકાઇની જરૂર પડે તેવી સ્થિતિનું હાઈકોર્ટનું અવલોકન કર્યું છે. રાજ્ય સરકાર 2 દિવસમાં વિકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરે તેવી સંભાવના છે.
હાઈકોર્ટે શું કર્યા હતા નિર્દેશ?
કોરોનાની ચેઇન તોડવી જરૂરીઃ હાઈકોર્ટ
હાલની સ્થિતિ કર્ફ્યુ લગાવવા જેવીઃ હાઈકોર્ટ
કોરોનાને અટકાવવા નક્કર પગલાં જરૂરીઃ હાઈકોર્ટ
રાજકીય મેળવડા બંધ કરાવવા નિર્દેશ
જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા નિર્દેશ
કોવિડના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા નિર્દેશ
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ બની રહી છે વિકટ
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથને આપ્યા નિર્દેશ
3થી 4 દિવસનો કર્ફ્યુ લગાવવા હાઈકોર્ટનો નિર્દેશ
વિકેન્ડ કર્ફ્યુ બાબતે પણ નિર્ણય લેવા ટકોર
ૃૃૃૃ
ગુજરાતમાં કોરોનાની વકરતી પરિસ્થિતિ પર હાઈકોર્ટ ખુદ મેદાને આવી છે. રાજ્યમાં ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઇ હોવાનું હાઈકોર્ટનું તારણ છે. જેને લઈ કોર્ટે સુઓમોટો જાહેર હીતની અરજીઓને ગણાવી છે. જેમાં સ્મશાન ગૃહોની સ્થિતિ, હોસ્પિટલમાં બેડની અછત, ઈન્જેક્શનની ઘટ વગેરે જેવા મુદ્દાઓ પર સુનાવણી યોજાશે. સાથે કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવાના આદેશ કર્યા છે.
સાથે હાઈકોર્ટે કોવિડ-19 માટેના મેનેજમેન્ટ મુદ્દે પણ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. આ સમગ્ર અરજીઓ મામલે આવતીકાલે ચીફ જસ્ટીસની વડપણવાળી બેચ સુનવણી પણ કરશે. તો રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ અતિ ગંભીર હોવાનું કોર્ટે તારણ કાઢ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના આંકડા
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 5469 કેસ નોંધાયા છે અને 2976 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,15,127 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યમાં 54 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4800 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 203 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 27,568 પર પહોંચ્યો છે.