ગુજરાતમાં કોરોના વાયરસ બેકાબુ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાનું સંક્રમણ વધતા આજથી 3 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે અર્જન્ટ કેસની સુનાવણી ઓનલાઇન થઇ શકે છે.
કોરોનાનું સંક્રમણ વધતા આજથી 3 દિવસ ગુજરાત હાઇકોર્ટ બંધ
અર્જન્ટ કેસની સુનાવણી ઓનલાઇન થઇ શકે છે
અગાઉ પણ 2 વાર હાઇકોર્ટ બંધ રાખવાની પડી હતી ફરજ
ગુજરાતમાં હાલ કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યની હાઇકોર્ટમાં કોરોનાનું સંક્રમણ વધતા આજથી 3 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત હાઇકોર્ટની સ્ટેન્ડિંગ કમિટિ દ્વારા કોર્ટમાં કોરોનાનું સંક્રમણ વધતા આજથી ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટને આ દરમિયાન સેનેટાઇઝ કરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જી.આર. ઉધવાણીનું કોરોનાથી થયું હતું નિધન
ઉલ્લેખનીય છે કે હાલ થોડા દિવસ અગાઉ જ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જી. આર. ઉધાણીનું કોરોનાથી નિધન થયું હતું. જસ્ટિસ જી.આર. ઉધવાણીએ પોતાના કેરિયરની શરૂઆત સિટી સિવિલ જજ તરીકે કરી હતી અને ત્યાર બાદ હાઇકોર્ટમાં પ્રમોશન મળ્યું હતું.
3 જજ કોરોના સંક્રમિત
દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત હાઇકોર્ટેના ત્રણ જજ કોરોના સંક્રમિત થયા હતા, જેમાં જસ્ટિસ એસી રાવ, જસ્ટિસ જી.આર. ઉધવાણી અને જસ્ટિસ આર.એમ. સરીન કોરોના સંક્રમિત થયા હતા. આ પહેલાં હાઈકોર્ટેના રજિસ્ટ્રી વિભાગના અનેક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા.