ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુઓમોટોની અરજીને લઈને સરકારને હાઇકોર્ટે 43 પાનાનો હુકમ કર્યો છે.
ગુજરાત હાઇકોર્ટેમાં થયેલી સુઓમોટો અરજી પર હુકમ
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કર્યના નિર્દેશ
રાજ્યમાં રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યા તે પૂરતા નથી: HC
મળતી વિગત પ્રમાણે, ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા જણાવ્યું હતું કે, રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો તે પુરતો નથી. રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે માટે સરકારે કોરોનાની ચેઈન તોડવા માટે કડક પગલા લેવા જોઇએ.
આ સાથે જ હાઇકોર્ટે કોરોનાને લઈને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરી મુદ્દે તાત્કાલિક અસરથી સોગંધનામું કરવા નિર્દેશ પણ આપ્યા હતા.
હોસ્પિટલોમાં સ્વચ્છતા સહિતના અનેક મુદ્દાઓ પર હાઇકોર્ટ લાલઘૂમ
તો ગુજરાતની હોસ્પિટલોમાં સ્વચ્છતા સહિતના અનેક મુદ્દાઓ પર હાઇકોર્ટ લાલઘૂમ થઈ હતી અને સરકારને ટકોર કરી હતી. તાજેતરમાં અમદાવાદના GMDC મેદાનમાં આવેલ કન્વેશન હોલ ખાતે DRDOના સહયોગથી સ્થપાયેલી કોવિડ હોસ્પિટલી સ્વચ્છતા મુદ્દે પણ ગુજરાત સરકારને ટપારી હતી.
RT-PCR ટેસ્ટિંગ વધારવા પર ભાર
તો રાજ્યમાં કોરોનાની સ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતા રાજ્ય સરકારને RT-PCR ટેસ્ટિંગ વધુ ભાર આપવા આપવા માટે નિર્દેશ કર્યો હતો, સાથો સાથ RT-PCR ટેસ્ટિંગના યોગ્ય આંકડા જાહેર કરવા સુચના પણ આપી હતી.
લોકોને કોરોનાના આંકડાની સાચી માહિતી આપવાની પણ કરી ટકોર
નવા 21 RT-PCR મશીન સંદર્ભે સરકાર શુ કરી રહી છે? તેવો સવાલ પણ રાજ્ય સરકારને ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. અને રાજ્યમાં ટેસ્ટિંગ બાબતે લોકોને સાચી વિગત આપવાનું પણ જણાવ્યું હતું.
ગુજ. હાઈકોર્ટે સરકાર અને AMCને ઝાટકી
ગુજરાતમાં વધતાં કોરોના વાયરસના કેસ વચ્ચે ગુજરાત હાઇકોર્ટમાં આજે પણ સુઓમોટો કેસ હેઠળ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગઇકાલે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સોગંધનામું દાખલ કરવામાં આવ્યું હતું ને રાજ્યમાં કોરોના વાયરસને રોકવા માટે શું શું કામ કરવામાં આવી રહ્યા છે તે મુદ્દે માહિતી આપવામાં આવી હતી ત્યારે આજે હાઇકોર્ટમાં અમદાવાદની ઍમ્બ્યુલન્સનો મુદ્દો પણ ઉછળ્યો હતો.
શું કોર્પોરેશનની કામગીરી પર નજર નથી રખાતી?-HC
અમદાવાદમાં થોડા દિવસ પહેલા સુધી માત્ર 108માં આવતા દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હતા જોકે કેટલાય દિવસ સુધી ભારે વિરોધ બાદ તંત્ર દ્વારા આ નિર્ણય હટાવી દેવામાં આવ્યો હતો ત્યારે આજે રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટમાં ગુજરાત સરકારે કહ્યું કે 108નો નિર્ણય તો કૉર્પોરેશનનો હતો અમારો નહીં. કોરોના સમયે નિષ્ફળ રહેલી રાજ્ય સરકારને હાઈકોર્ટે આજે સવાલ કરતાં કહ્યું કે શું રાજ્ય સરકારનો કોર્પોરેશન પર કોઈ અંકુશ નથી? શું સરકાર કોર્પોરેશનની કામગીરી પર નજર નથી રખાતી? અને કોર્પોરેશન રાજ્ય સરકારની પોલિસીનું પાલન કેમ નથી કરતી? દર્દીઓને એમ્બ્યુલન્સ માટે 48 કલાક રાહ જોવી પડી રહી છે. આ સંપૂર્ણ સિસ્ટમની નિષ્ફળતા છે કે જિલ્લામાં રેમડેસિવિર ઈન્જેક્શન નથી મળતા.
રાજ્ય સરકાર પોતાના ખર્ચે ઓક્સિજન પ્લાન ન સ્થાપી શકે?-HC
આ સિવાય રેમડેસિવિર ઈંજેક્શન તથા ઑક્સીજન મુદ્દે પણ હાઇકોર્ટે રાજ્ય સરકારથી વિવિધ સવાલો કર્યા હતા. હાઇકોર્ટે પૂછ્યું કે માગ પ્રમાણે રેમડેસિવિર ઈન્જેક્શન કેમ નથી અપાતા? ઓક્સિજન પ્લાન્ટ કેન્દ્ર સરકારના ફંડમાંથી બની રહ્યા છે પણ રાજ્ય સરકાર પોતાના ખર્ચે ઓક્સિજન પ્લાન ન સ્થાપી શકે? જેના પર AG કમલ ત્રિવેદીએ જવાબ આપ્યો કે ઓક્સિજન પ્લાન્ટ માટે રો-મટીરિયલ ભારતમાં ઉપલબ્ધ નથી અને રો મટીરિયલ વિદેશથી આયાત કરવું પડે છે જેમાં આયાત માટે 2થી 3 મહિનાનો સમય લાગે છે. રાજ્ય સરકારનું 32 ઓક્સિજન પ્લાન્ટ બનાવવું પ્લાનિંગ છે.
હાઇકોર્ટે AMCને પણ ખખડાવી, AMC શું છુપાવવાનો પ્રયાસ કરી રહી છે?-HC
નોંધનીય છે કે અમદાવાદમાં દર્દીઓને સારવાર માટે બેડ નથી મળી રહ્યા ત્યારે આજે સુનાવણીમાં હાઇકોર્ટે રિયલ ટાઈમ બેડ અવેબિલીટી મામલે AMCના વકીલને ખખડાવ્યા હતા. હાઇકોર્ટે કહ્યું કે હોસ્પિટલ આગળ બોર્ડ લગાવવાથી કંઈ નહીં થાય, દર્દીઓને એક હોસ્પિટલતી બીજી હોસ્પિટલ ભટકતા ન છોડી શકાય. જો અન્ય કોર્પોરેશન કરી શકે તો AMC કેમ ન કરી શકે? AMC શું છુપાવવાનો પ્રયાસ કરી રહી છે?