ગુજરાતમાં રોજના થતા ટેસ્ટિંગ અને હોસ્પિટલ બહાર દર્દીઓની લાઈન લાગી છે જેને લઈ ગુજરાત હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે કે, કોરોનાના સાચા આંકડાઓ જાહેર થવા જોઈએ
રાજ્યમાં કોરોનાના આંકડાનો ખેલ ભારે પડ્યો!
ગુજરાત હાઈકોર્ટનો સરકારને નિર્દેશ
કોરોનાના સાચા અને પારદર્શી આંકડા બતાવો
ગુજરાતમાં કોરોનાનો હાહાકાર વચ્ચે ગુજરાત હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે. કોરોનાના સાચા અને પારદર્શી આકંડા જાહેર કરવા માટે સરકારને આદેશ કર્યો છે. સરકાર પ્રત્યે લોકોમાં વિશ્વાસ સંપાદિત થાય માટે સાચા આંકડા જાહેર કરે તેવું સૂચન કોર્ટ દ્વારા કરાયું છે.
કોરોનાના વધતા જતા હાઈકોર્ટમાં અનેક મુદ્દે સુઓમોટો દાખલ થઈ છે. જેમાં રાજ્યમાં સાચા આંકડા મુદ્દે પણ સુઓમોટો પર સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે કે, રાજ્યમાં કોરોના સાથે સંકળાયેલા તમામ આંકડાઓની પારર્દર્શિતા રાખવા સરકારને સૂચન કરાયું છે. સાથે હોસ્પિટલમાં ખાલી જગ્યાઓની ઓનલાઈન માહિતી અપલોડ કરવા પણ સૂચન કરાયું છે.
બેડ વિશેની માહિતી માટે ઓનલાઈન વ્યવસ્થા કરવા નિર્દેશ
સાથે કહ્યું, અધિકારી કે નેતા પ્રજાને કોરોનાની સ્થિતિ વિશે સાચી માહિતી જણાવી જોઈએ. હોસ્પિટલમાં બેડની પણ સાચી માહિતી માટે વેબપોર્ટલ બનાવવાનું સરકારને સૂચન કરાયું છે. રાજ્ય સરકારના અંકુશમાં આ પોર્ટલ પર માહિતી ઉપલબ્ધ થવી જોઈએ. તો ઓક્સિજન અને રેમડેસિવિરનો પર્યાપ્ત જથ્થો દર્દીઓને ઉપલબ્ધ કરાવવા મુદ્દે પણ નિર્દેશ કર્યા છે. અને 19 એપ્રિલ સુધીમાં આ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ કોર્ટે અલ્ટીમેટમ આપ્યું છે. અને સરકારે કોર્ટમાં 20 એપ્રિલે આ અંગે એફિડેવિટ કરવા હુકમ કર્યો છે.
તબીબોની શું છે સલાહ
ડૉ. વસંત પટેલે કહ્યું કે ભારતમાં કોરોના વાયરસના કેસ જે રીતે વધી રહ્યા છે, બે દિવસથી બે લાખથી વધારે કેસ આવી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં ખૂબ મોટો આંકડો લોકોને જોવા મળશે. ગુજરાતમાં નાના ગામડા સુધી કોરોના પહોંચી ગયો છે અને ઘણા બધા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે સંવેદનશીલતા બતાવવી જોઈએ અને ગુજરાતની પ્રજાના જીવ બચાવવા માટે લોકડાઉન કરવું જોઈએ.
''ગુજરાતની પ્રજાના જીવ બચાવવા માટે લોકડાઉન જરૂરી''
વસંત પટેલે કહ્યું કે લોકડાઉન થશે તો જ અમારા જેવા ફ્રન્ટલાઇન વોરિયર્સને પણ બચાવી શકાશે. લોકડાઉનથી કોરોનાની સ્પીડને બ્રેક મારી શકીશું. અને કોરોના વાયરસને કંટ્રોલ કરી શકીશું.