ખાનગી શાળાઓનો FRC સામે અલગ-અલગ માપદંડ અપનાવવાનો આરોપ સાથે હાઈકોર્ટમાં પહોંચ્યો શાળાઓની ફીનો વિવાદ
ખાનગી શાળાઓની હાઈકોર્ટમાં રજૂઆત
FRC ઉપર એકસૂત્રતા ન જાળવવાનો આરોપ
રાજ્ય સરકારની હાઈકોર્ટમાં રજૂઆત, સરકાર બનાવશે સમિતિ
વિદ્યાર્થીઓના વાલીઓને ફીમાં રાહત મળે તે માટે સરકારે FRCનું ગઠન કર્યુ છે.જોકે સરકારની આ FRCના નિયમોને સ્કૂલ સંચાલકો નેવે મુકી રહ્યા છે.FRC ફીના માળખા અને ધારાધોરણો તો નક્કી કરે છે પરંતુ મધ્યમવર્ગની જનતાને શાળાઓની મોટી વસુલાત સામે પિસાવાનો વારો આવે છે. અગાઉ FRCએ રાજ્યની વિવિધ સ્કૂલોને મેઈલ કરીને ફીના ધારાધોરણો અંગે જાણ કરી હતી.અને વિવિધ સ્કૂલોએ મેઈલના આધારે વાલીઓને ફી ભરવા દબાણ કર્યુ હોવાના ઘણી વખત આક્ષેપ પણ થઈ ચૂક્યા છે.
FRCમાં એકસૂત્રતા જાળવવા બનાવાશે સમિતિ
ખાનગી શાળાઓની ફીનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો છે. મુદ્દા આધારીત નિર્ણયમાં FRCમાં એકસૂત્રતા નહીં હોવાનો આરોપ લાગી રહ્યો છે. ખાનગી શાળાઓનો FRC સામે અલગ-અલગ માપદંડ અપનાવવી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ કરી મહત્વની જાહેરાત કરી છે. FRCમાં એકસૂત્રતા જાળવવા માટે સમિતિ બનાવવામાં આવશે તેમજ તેના દ્વારા ગાઈડલાઈન બનાવવામાં આવશે તેવી કોર્ટમાં રાજ્ય સરકારે બાહેંધરી આપી હતી. ઉપરાંત જણાવ્યું હતું કે ટૂંક સમયમાં સરકાર આ અંગે પરિપત્ર જાહેર કરશે. સરકારનો કોર્ટમાં દાવો કર્યો હતો કે ફી નિર્ધારણ કાયદો બાળકો-વાલીઓના હિતમાં છે. હવે સમગ્ર મુદ્દે 2મેના રોજ સુનાવણી હાથ ધરાશે.
FRC વાલીઓનું હિત ધ્યાનમાં ક્યારે લેશે?
કેટલીય વખત રાજ્યમાં કેટલાક શહેરોમાં જાણિતી સ્કૂલોએ વાલીઓને યુનિફોર્મ અને અન્ય શૈક્ષણિક પ્રવૃતિઓની ફી માટે સુચનો પણ કર્યા હોવાની ઘટનાઓ બની હતી ત્યારે સવાલ એ છે કે કોરોનાકાળમાં પણ શાળાઓની નફાખોરી કેમ અટકતી નથી?. સરકાર આવી શાળાઓ પર પગલા ક્યારે લેશે? ફીની વસુલાત અને માળખા વિશે સરકાર શું સ્ટેન્ડ લઈ રહી છે? ફીના ધારા ધોરણો નક્કી કરાતા? કેમ FRC વાલીઓનું હિત ધ્યાનમાં નથી લેતી?શું શાળાઓ પોતાની મનમાની કરશે તો તેને રોકનાર કોણ છે?