અમદાવાદ: છેલ્લા 23 વર્ષથી પાકિસ્તાનની કોટ લખપત જેલમાં કેદ એવા કુલદીપ યાદવની બહેને વર્ષ 2012માં ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે મામલે આજે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં કુલદીપ યાદવની બહેને કરેલી અરજીને હાઇકોર્ટે અંશતઃમંજુર રાખી છે. આ સાથે જ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે ક રેખા યાદવને નોકરી આપવા આવે.
આ સાથે જ રેખા યાદવે વળતરની માંગણી કરી હતી..જોકે જેનો હાઇકોર્ટે અસ્વીકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે કુલદીપ યાદવની બહેને ગુજરાત હાઇકોર્ટમાં પોતાના ભાઈને છોડાવવા માટે અરજી કરી હતી. જેમાં આજે હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપી રેખા યાદવને રાહત આપી છે 1994 માં કુલદીપ યાદવને જાસૂસીના કેસમાં પાકિસ્તાન દ્વારા પકડી લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૭ વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલદીપ યાદવને છોડાવવા માટે લડાઈ રહેલા કાનૂની જંગ પર ગુજરાત હાઇકોર્ટ આજે પોતાનો ચુકાદો આપ્યો હતો. કુલદીપ યાદવની બહેન રેખા યાદવે આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી અને પોતાના ભાઈને પાકિસ્તાનની જેલમાંથી છોડાવવા માટે રજૂઆત કરી હતી. કુલદીપ યાદવના સ્વજનોએ વારંવાર સરકારને રજૂઆત કર્યા બાદ પણ કોઈ ઠોસ નિર્ણય નહીં લેવાતા રેખાબેને ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
1994માં કુલદીપ યાદવને જાસૂસીના આરોપસર પાકિસ્તાનમાં પકડી લેવાયા હતા અને ત્યારબાદ આ જ આરોપસર તેને પાકિસ્તાનમાં સજા કરવામાં આવી છે. સરકાર કોંગ્રેસની હોય કે ભાજપની તમામ સરકારો સામે રેખાબેને પોતાના ભાઈને છોડાવવા રજૂઆતો કરી છે. જો આ કેસમાં યાદવની બહેનને નોકરી આપવા કોર્ટે આદેશ કર્યો હતો.