કોરોના મહામારીમાં અનલોક બાદ સૌ પ્રથમવાર ગુજરાત હાઈકોર્ટમાં આજે(16 સપ્ટેમ્બર)થી પ્રત્યક્ષ સુનાવણી શરૂ થઇ છે. ત્યારે આજે કોરોના સંક્રમણ મુદ્દે રાજકીય નેતાઓને ગુજરાત હાઈકોર્ટે ફટકાર લગાવી છે.
રાજ્ય સરકારને કડક પગલા લેવા હાઇકોર્ટનો આદેશ
રાજકીય પાર્ટીઓએ ગાઇડલાઇનનું કડક પાલન કરવા હાઇકોર્ટનો આદેશ
રાજકીય પક્ષો અને રાજકીય નેતાઓ ખોટા દાખલા ન બેસાડોઃ હાઈકોર્ટ
રાજકોટ, વડોદરામાં કોરોના કેસ વધતા ગુજરાત હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. તો ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને રાજ્યની જનતાને સૂચનો પણ કર્યા છે. સાથે રાજકીય પક્ષો અને રાજકીય નેતાઓને પણ નિર્દેશ કર્યા છે.
ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, રાજકીય લોકો સરકારની ગાઇડલાનનું પાલન કરે. રાજકીય લોકો જનતાના માર્ગદર્શક છે, તે ધ્યાન રાખે. નિયમો બધા જ માટે સરખા છે. રાજકીય પક્ષો અને રાજકીય નેતાઓ ખોટા દાખલાઓ ન બેસાડો. નિયમોનો ઉલ્લંઘનને રાજનેતાઓ પ્રોત્સાહન ન આપે. જો નેતાઓ ધ્યાન નહીં રાખે તો પ્રજા પણ જાગૃતતા નહીં દાખવે. આવી સ્થિતિનું નિર્માણ ન થાયે તે જોવાની જવાબદારી બધાની છે. ભીડ, સરઘસ, રેલીઓ કે પછી રાજકીય મેળવડામાં ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન થતું હોય છે. જેને લઇને કોર્ટે કોંગ્રેસ હોય કે ભાજપ તેને લઇને મહત્વનો નિર્દેશ કર્યો છે.
સરકાર અને કોર્પોરેશનને ગુજરાત હાઈકોર્ટનો આદેશ
કોર્ટે કેસો પર કંટ્રોલ કરવા કડક પગલા લેવા સરકાર અને કોર્પોરેશનને આદેશ આપ્યા કે, તમામ શહેરીજનો ગાઇડલાઇનનું કડકપણે અમલ કરાવો. કોરોના મામલે બેદરકારી ન દાખવો. અમદાવાદમાં સાંજે લોકોના ટોળેટોળા જોવા મળે છે. અનેક વિસ્તરોમાં સામાજીક અંતરનું પાલન થતું નથી.
રિક્ષા ચાલકો માટે મહત્વના સમાચાર
તો રિક્ષા ચાલકોને હાઈકોર્ટે રાહત આપી છે. કોર્ટે રાજ્ય સરકારને આદેશ આદેશ કર્યો છે કે, રિક્ષાચાલકોની મદદ માટે પગલા લે. આત્મનિર્ભર યોજના હેઠળ રિક્ષા ચાલકોને લાભ મળે. આર્થિક સહાયની રિક્ષાચાલકોની માંગ હતી.