રાજ્યમાં કોરોના દર્દીઓના ટેસ્ટીંગ ICMRની ગાઇડલાઇન્સ મુજબ કરવામાં આવે છે તેવી રજૂઆત રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી હતી. આ સંદર્ભમાં હાઇકોર્ટે વધુ સુનાવણી-ચર્ચા વિચારણા માટે ICMRને પણ પક્ષકાર તરીકે જોડવાના આદેશો કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો કે ગાઈડલાઈનને આધારે પ્રાઈવેટ લેબમાં ટેસ્ટ બંધ કરી દેવાયા છે. ત્યારે અમદાવાદ મેડિકલ એસો. ને જાહેર હિતની અરજી કરી હતી કે, ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરવાની મંજૂરી મળે તો ટેસ્ટના રિપોર્ટ જલદી આવે અને બચાવ કામગીરી તેમજ કોરોનાને ફેલાતો અટકાવી શકાય.
ગુજરાત હાઈકોર્ટે ICMRને નોટીસ મોકલી
અમદાવાદમ મેડિકલ એસો. કરી છે જાહેરહિતની અરજી
ગુજરાત સરકારે આપ્યો ICMRની ગાઈડલાઈનનો હવાલો
ગુજરાત સરકારે રજૂ કરેલા જવાબને આધારે ICMRની ગાઈડલાઈનનો હવાલો આપતા હાઈકોર્ટે ICMRને આ અંગે જવાબ આપવા કહ્યુ હતુ. અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા કોરોના ટેસ્ટ અંગે હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. COVID-19નાં ટેસ્ટનો રિપોર્ટ તત્કાલ મળે તે માટે અમદાવાદ મેડિકલ એસોસીએશન હાઇકોર્ટમાં કરી છે જાહેર હિતમાં અરજી કરી હતી.
શું કરવામાં આવી હતી રજૂઆત
અમદાવાદ મેડિકલ એસોસિએશને કહ્યુ હતુ કે કોવિડ ટેસ્ટ માટે CDHO (ચિફ ડેપ્યુટી હેલ્થ ઓફીસર) ને જે તે હોસ્પિટલ અને ડોકટરે મેઈલ કરી પેશન્ટનાં કોવિડ ટેસ્ટ માટે મંજૂરી લેવી પડે છે. જે માટે મેલ કરવો પડે છે. આ મેલનો હા કે ના નો જવાબ આવતા 4થી 5 દિવસ લાગી જાય છે. જેમાં તે દર્દી જો કોરોના પોઝિટિવ હોય તો તે રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તો તે કોરોના સુપર સ્પ્રેડર ની ભૂમિકા ભજવી ચૂકી હોય છે. આ પાંચ દિવસ દરમિયાન દર્દી કોવિડગ્રસ્ત હોય તો અન્યને ચેપ ફેલાવી શકે જેનો ભોગ ખુદ ડૉકટર પણ બની શકે છે
શું કહે છે ગુજરાત સરકાર
હાઇકોર્ટમાં સરકારે રજૂઆત કરી છે. કોરોના ટેસ્ટ માટે ICMRની ગાઇડ લાઇનો પાલન કરીએ છીએ. હાલની સ્થિતિ પરિસ્થિતિમાં ગાઇડ લાઇનમા ફેરફાર કરવો યોગ્ય નથી. હાઇકોર્ટે ICMR પાસે જવાબ માંગ્યો છે. આગામી સુનવણીમાં ICMR પોતાનો જવાબ રજૂ કરશે.
ગુજરાત હાઈકોર્ટે શું કીધુ
હાલની ક્રિટીકલ પરિસ્થિતિમાં ગાઈડ લાઈન માં ફેરફાર કરવા યોગ્ય નથી જણાતા તેવા ગુજરાત સરકારના જવાબમાં હાઈકોર્ટે ICMR પાસેથી જવાબ માંગ્યો છે. કારણ કે, ટેસ્ટ થવા જ જોઈએ તેવું ખુદ કોર્ટનું પણ માનવું છે.