ફી નિયમનના કાયદા અંતર્ગત ફી નક્કી કરતા શાળા સંચાલકો પહોંચ્યા છે હાઈકોર્ટમાં, HC શાળા સંચાલકોની ખામીઓને ઉજાગર કરી
ખાનગી શાળાના સંચાલકોને ગુજરાત હાઇકોર્ટની ફટકાર
એક જ જગ્યાએથી પુસ્તક લેવાનો આગ્રહ અયોગ્ય
વાલીને નક્કી કરવા દો ક્યાંથી પુસ્તક લેવા
કેટલીય વખત એવી ફરિયાદો મળી છે કે આ ધોરણોના પાઠ્ય પુસ્તકો સ્કૂલ સુધી પહોંચ્યા નથી. સરકાર દ્વારા શિક્ષણ માટે મોટી મોટી વાતો તો કરવામાં આવે છે. પણ પાઠ્ય પુસ્તક મંડળો પુસ્તક પુરા પાડવામાં જ પણ અનેક વખત નિષ્ફળ રહ્યું છે. તેવા બીજી તરફ શિક્ષણ વિભાગ ખાનગી સ્કૂલોની મનમાની પર પણ રોક લગાવી શક્યું નથી. ક્યારેક મસમોટી ફી માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ દબાણ કરવામાં આવે છે, તો કયારેક ગણવેશ માટે લાગતા વળગતા સાથે સેટિંગ કરી ખેલ કરવામાં આવે છે. અરે હદ તો ત્યારે થાય છે જ્યારે પુસ્તકો કોઈ એક જ જગ્યાએથી લેવાનો આગ્રહ કરવામાં આવે છે. ખાનગી શાળાઓ ફીમાં વધારો કરી અનેક ગણો નફો તો કરી લે છે પણ સાથો સાથ ગણવેશ અને પુસ્તક તેમજ અન્ય વસ્તુઓ પણ માનીતી જગ્યાએથી વિદ્યાથીઑ પાસેથી ખરીદી કરાવી કમિશનનો ગોરખધંધો પણ કરી લે છે.
ખાનગી શાળા પુસ્તકો વાલીઓને ક્યાંથી લેવા તે માટે મજબૂર ન કરે
ત્યારે હવે સમગ્ર મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ખાનગી શાળાના સંચાલકોને HCએ પણ ખરીખોટી સંભળાવી દીધી છે. અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે એક જ જગ્યાએથી પુસ્તકો લેવાનો આગ્રહ રાખવો અયોગ્ય છે. વાલીઓએ પુસ્તકો ક્યાંથી લેવા એ એમને નક્કી કરવા દો તેમ જણાવી શાળા સંચાલકોને ટકોર પણ કરી છે કે સંચાલકો ખર્ચની બાબતમાં પારદર્શકતા રાખે. માત્ર વાઉચર મુકીને ખર્ચ બતાવો તે પૂરતું નથી.
શાળા સંચાલકોને કોર્ટે અરીસો બતાવ્યો
મહત્વનું છે કે ફી નિયમનના કાયદા અંતર્ગત ફી નક્કી કરતા શાળા સંચાલકો હાઈકોર્ટમાં પહોંચ્યા છે. જે કેસમાં હાઈકોર્ટે શાળા સંચાલકોની ખામીઓને ઉજાગર કરી ઉપરોક્ત સૂચનો ટાંક્યા છે. ફી વધારાની માંગણી વખતે શાળાઓએ રજૂ કરેલા દસ્તાવેજો અંગે હાઈકોર્ટે ટિપ્પણી કરી છે.
FRCમાં એકસૂત્રતા જાળવવા બનાવાશે સમિતિ
આ અગાઉની સુનાવણી વખતે મુદ્દા આધારીત નિર્ણયમાં FRCમાં એકસૂત્રતા નહીં હોવાનો આરોપ લાગ્યો હતો. ખાનગી શાળાઓનો FRC સામે અલગ-અલગ માપદંડ અપનાવવી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ કરી મહત્વની જાહેરાત કરી છે. FRCમાં એકસૂત્રતા જાળવવા માટે સમિતિ બનાવવામાં આવશે તેમજ તેના દ્વારા ગાઈડલાઈન બનાવવામાં આવશે તેવી કોર્ટમાં રાજ્ય સરકારે બાહેંધરી આપી હતી. ઉપરાંત જણાવ્યું હતું કે ટૂંક સમયમાં સરકાર આ અંગે પરિપત્ર જાહેર કરશે. સરકારનો કોર્ટમાં દાવો કર્યો હતો કે ફી નિર્ધારણ કાયદો બાળકો-વાલીઓના હિતમાં છે