ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જી.આર. ઉધવાણીનું આજે કોરોનાથી નિધન થયું છે. છેલ્લા 15 દિવસથી તેમને કોરોના ડિટેકટ થયો હતો. ગઇકાલે રાત્રે તેમની તબિયત વધારે લથડી પડી હતી અને આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા છે.
કોરોના સંક્રમિત થયા બાદ હાઇકોર્ટના સિનિયર જજનું નિધન
ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જીઆર ઊંધવાણીનું નિધન
સાલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન
3 જજ કોરોના સંક્રમિત
દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત હાઇકોર્ટેના ત્રણ જજ કોરોના સંક્રમિત થયા હતા, જેમાં જસ્ટિસ એસી રાવ, જસ્ટિસ જી.આર. ઉધવાણી અને જસ્ટિસ આર.એમ. સરીન કોરોના સંક્રમિત થયા હતા. આ પહેલાં હાઈકોર્ટેના રજિસ્ટ્રી વિભાગના અનેક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા.
જી.આર. ઉધવાણીને હાઇકોર્ટમાં પ્રમોશન મળ્યું હતું
જસ્ટિસ જી.આર. ઉધવાણીએ પોતાના કેરિયરની શરૂઆત સિટી સિવિલ જજ તરીકે કરી હતી, સાથે જ કૃષ્ણકાંત વખારિયા, નિરૂપમ નાણાવટીને ત્યાં વકીલ તરીકે પણ કામ કર્યું હતું. ત્યાર બાદ જી.આર. ઉધવાણીને હાઇકોર્ટમાં પ્રમોશન મળ્યું હતું.
છેલ્લા 14 દિવસમાં અમદાવાદમાં 145 લોકોના મોત થયા
અમદાવાદમાં સતત 15 દિવસથી 300 કરતા વધુ કેસ નોંધાયા છે. ગઇકાલે અમદાવાદ શહેરમાં 298 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં 34 પોઝિટિવ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા તંત્રની ચિંતા વધી છે. રાત્રી કર્ફ્યૂ છતાં સંક્રમણમાં ઘટાડો નથી થઈ રહ્યો. કોરોનાથી મોતનો આકંડો પણ ડરામણો ચે. અમદાવાદમાં ગઇકાલે 13 લોકોના કોરોનાથી નિધન
થયા છે. અમદાવાદમાં કોરોનાથી કુલ 2087 લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. છેલ્લા 14 દિવસમાં અમદાવાદમાં 145 લોકોના મોત થયા છે.
સિવિલ હોસ્પિટલમાં 330 કર્મચારીઓ કોરોના સંક્રમિત
કોરોના દર્દીઓની સારવાર કરતા વોરિયર્સ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. અમદાવાદમાં 9 મહિનામાં 480 ડોક્ટર્સ કોરોના સંક્રમિત થયા છે. દિવાળી બાદ સિવિલ હોસ્પિટલના 50 ડોક્ટર્સ સંક્રમિત થયા હતા. સિવિલ હોસ્પિટલમાં 330 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા