ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો પ્રદૂષણ મામલે હાઈકોર્ટે ગત સુનાવણીમાં લીધો હતો ઉધડો, હાઇકોર્ટમાં GPCB જવાબ કરશે રજૂ
હાઇકોર્ટે GPCBને જવાબદાર ઠેરવી હતી
GPCBમાં 4 હજાર સ્ટાફની અછત
હાઇકોર્ટમાં GPCB જવાબ કરશે રજૂ
પ્રદુષણ માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા GPCBને જવાબદાર ઠેરવવામાં આવી હતી. GPCB હવે આ સમગ્ર મામલે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કરશે. GPCB CETP સંયુક્ત શુદ્ધિકરણ પ્લાન અંગે લીધેલા પગલા મામલે હાઇકોર્ટને જવાબ આપશે. પ્લાન્ટ સારી રીતે કાર્યરત થાય તે માટે GPCB દ્વારા લેવામાં આવેલા પગલાઓની માહિતી પણ કોર્ટને આપશે.
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસે સ્ટાફની અછત
GPCB સરકારને પણ રજૂઆત કરશે કારણે GPCB પાસે હાલ 4 હજાર જેટલા સ્ટાફની અછત છે. અમદાવાદ ખાતેની કચેરીએ 45 કર્મચારીની અછત છે. અમદાવાદ GPCBની હેડ ઓફિસ જ ચાર્જ અધિકારીના હવાલે ચાલે છે. આ સિવાય પ્લાન્ટ સારી રીતે કાર્યરત થાય તે માટે શું પગલા લીધા ? બેંક ગેરંટી કેટલી લીધી ? તેનો હિસાબ પણ આપશે. ભવિષ્યનું પ્લાનિંગ પણ કોર્ટ સમક્ષ રજૂ કરશે.
અમદાવાદનો વટવા અને ઓઢવ વિસ્તાર સૌથી વધુ પ્રદૂષિત
મહત્વનું છે કે રાજ્યમાં એર ક્વોલિટી સુધારવા કોલસાનો ઉપયોગ બંધ કરી અને નેચર ગેસ કે અન્ય વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ વધારવાની માગ સાથે હાઇકોર્ટમાં થયેલી પિટિશનમાં GPCBએ આ વિગતો રજૂ કરી હતી. અરજદારે અગાઉ શહેરોમાં નિયત માપદંડો કરતા 3થી 4 ગણું વધારે હવાના પોલ્યુશન હોવાની વિગતો કોર્ટ સમક્ષ મૂકી હતી. તો બીજી તરફ પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે ઇન્ડસ્ટ્રીઝમાં ફ્યુઅલ તરીકે વપરાતા ફરનેસ ઓઇલ અને કોલસાને તબક્કાવાર રીતે ઇંધણ તરીકે ઉપયોગમાં લેવાનું બંધ કરવા માટે સરકાર તૈયાર હોવાની વાત કહેવામાં આવી છે. રાજ્ય સરકારે 2025-26 સુધીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સમાં 35થી 50 ટકા સુધારો કરવા સરકાર મક્કમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
અંકલેશ્વર, સુરત, રાજકોટ, વાપી પણ પ્રદૂષિત શહેરો
GPCBના સોગંધનામામાં કહ્યું હતું કે રાજકોટને આજથી દોઢ વરસ પહેલાં જ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે અતિ પ્રદૂષિત જાહેર કરી દીધું છે, જ્યારે અમદાવાદનો વટવા અને ઓઢવ વિસ્તાર સૌથી વધુ પ્રદૂષિત હોવાની વાત સામે આવી છે. આ તરફ અમદાવાદની સાબરમતી નદી 120 કિ.મી સુધી મૃતપ્રાય બની ગઇ છે. કોર્પોરેશન અને GPCBએ પણ સ્વીકાર્યુ હતું કે, નદીમાં પ્રદૂષણ ગંભીર કહી શકાય તેવી સ્થિતિએ છે અને તેનાથી પર્યાવરણને નુકસાન થયું છે. જોકે અગાઉ નિષ્ણાતે કોર્ટને એવી ભલામણ કરી હતી કે સૌથી પહેલા કોર્પોરેશને આવા ઉધોગોને આપેલા મંજૂરી રદ કરવી જોઇએ જો કે હજુ સુધી કોઈ નક્ક પગલે લેવાયા નથી.