ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત એક અનોખું મતદાન યોજાયું કે જે નેતાઓને ચૂંટવા માટે નહીં પણ પોતાનાં ગામને યોગ્ય જિલ્લામાં ભેળવવા માટે. પાટણનું એક અનોખુ ગામ છે ચંદ્રાવતી. જ્યારે મહેસાણા અને પાટણ જિલ્લો અલગ અલગ થયા ત્યારે ચંદ્રાવતીને પાટણ જિલ્લામાં સામેલ કરાયું હતું. હાલ આ ગામ સિદ્ધપુર તાલુકામાં આવેલું છે જ્યાં જિલ્લો પાટણ અડે છે. પણ પાછળથી રેવન્યૂ વિભાગે તેને મહેસાણા જિલ્લામાં અને ઊંઝા તાલુકામાં ભેળવવાનું નક્કી કર્યુ હતું અને વિવાદ છેડાયો હતો. 823 ઘરનું આ ગામ 4,177ની વસતી ધરાવે છે. આ ગામમાં ઐતિહાસિક મતદાન યોજાયુ હતું.
પાટણમાં અનોખું મતદાન યોજાયુ
ગ્રામજનો નક્કી કરશે કયા જિલ્લામાં જોડાવું
હાઈકોર્ટ ગ્રામજનોના મતદાનથી નક્કી કરશે
મતદાનની વાત આવે ત્યારે આપણે લોકસભા વિધાનસભા કે પછી સરપંચ કે પાલિકાની ચૂંટણી સામે આવે. પરંતુ એક એવું ગામ છે જયા વસતા લોકો તેમને ક્યાં જિલ્લામાં રહેવું છે તેના માટે મતદાન હાથ ધરાયું હતું. અને આ પ્રકારનું મતદાન રાજ્યમાં પહેલી વાર થયું છે. આ મતદાન પાટણના સિદ્ધપુર તાલુકાના ચંદ્રાવતી ગામમાં આ મતદાન યોજાયું હતું.
મહેસાણા અને પાટણ જિલ્લાને જ્યારથી અલગ કરવામાં આવ્યુ ત્યારથી આ ગામ માટે એક અવઢવ ઉભી થઈ હતી. આ અંગે હાઈકોર્ટે મતદારોને અનોખો અધિકાર આપ્યો છે જે મુજબ આખુ ગામ મતદાન કરશે કે તેમણે કયા તાલુકામાં રહેવું છે. અને આ મતદાન બાદ કોર્ટ પરિણામ જાહેર કરશે કે ગામનો સમાવેશ ઊંઝા તાલુકામાં રાખવું કે સિદ્ધપુરમાં. તેના અંગેનું મતદાન યોજાયુ હતુ.
શું છે વિવાદ
સિધ્ધપુર તાલુકામાં આવેલ ચંદ્રાવતી ગામ જીલ્લાના વિભાજન સમયે પાટણ જીલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ ગામના પાટીદાર સમાજના જૂથ રાજ્કિત વતૃળ ધરાવતા હોઈ રાજકીય રોટલા શેકવા માટે સરકારમાં ગામને ઊંઝા તાલુકામાં સમાવેશ કરવામાં આવે તેવી રજૂઆત કરતા પૂર્વ ધારાસભ્ય પટેલ નારણભાઈ દ્વારા સરકારમાં ભલામણ કરતા 2014 માં ચંદ્રાવતી ગામને ઊંઝા તાલુકામાં સમાવેશ કરવાની મેહસાણા કલેકટર દ્વારા પાટણ કલેકટરને ભલામણ પત્ર લખવામાં આવ્યો હતો.
ગ્રામ પંચાયતની વાત ધ્યાને લીધે વિના રેવન્યુ વિભાગે ગામનો ઉંઝામાં સમાવેશ કરી દીધો
ગ્રામ પંચાયત દ્વારા ઊંઝામાં સમાવેશ મામલે સભ્યોએ વિરોધ કરી સિદ્ધપુર તાલુકામાં જ ગામને રાખવા માટે 6 સભ્યોએ ઠરાવ કરી આપ્યો હતો. છતાં રેવન્યુ વિભાગ ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયતનો ઠરાવ ધ્યાને લીધા વિના જ ગામને ઊંઝામાં સમાવેશ કરી દેવામાં આવ્યો હતો
ગ્રામજનોએ ખખડાવ્યો કોર્ટનો દરવાજો
ત્યારે ગ્રામજનો દ્વારા ભારે રોષ વ્યકત કરી કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા અને કોર્ટ દ્વારા ગ્રામજનોની અપીલ અને ઠરાવને માન્ય રાખી સ્ટેટ આપ્યો હતો.
શું છે ગ્રામજનોની માંગણી
ગ્રામજનો દ્વારા ગામને ઊંઝા તાલુકામાં સમાવેશનો ઠરાવ રદ કરી ફરી સિધ્ધપુર તાલુકામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ટ્રેકટરો ભરી કલેકટર કચેરી ખાતે આવી પોહ્ચ્યા હતા અને કલેકટરને આવેદન આપી ગામને સિધ્ધપુર તાલુકામાં જ રાખવામાં આવે તેવી માંગ કરી હતી.
ગુજરાત હાઈકોર્ટે યોજ્યુ મતદાન
ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે મતદાન યોજાયુ છે જેમાં ગ્રામજનો નક્કી કરશે કે તેમને ઊંઝા તાલુકામાં રહેવું છે કે, સિદ્ધપુર તાલુકામાં. પાટણ જિલ્લામાં રહેવું છે કે મહેસાણા જિલ્લામા. આ મતદાન બાદ ગુજરાત હાઈકોર્ટ પોતાનો ચુકાદો આપશે.