કોરોના પર સુઓમોટોની જાહેરહિતની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે.
કોરોના પર સુઓમોટોની જાહેરહિતની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી શરૂ
ગતરોજ હાઇકોર્ટમાં સરકારે રજૂ કર્યુ હતુ સોગંદનામુ
ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ કારીયાની ખંડપીઠ સમક્ષ સુનાવણી
કોવિડ-19ની સ્થિતિ સંભાળવામાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. સાથે હાઈકોર્ટે સરકારને કેટલાક સણસણતા સવાલો પણ કર્યા હતા.
કોર્ટમાં ચાલી રહી છે સુનાવણી જુઓ
કોરોના પર સુઓમોટોની જાહેરહિતની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. ગતરોજ હાઇકોર્ટમાં સરકારે સોગંદનામુ રજૂ કર્યુ હતુ. ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ કારીયાની ખંડપીઠ સમક્ષ સુનાવણી શરૂ કરવામાં આવી છે. સુઓમોટો અરજીમાં પક્ષકાર તરીકે જોડવા હાઈકોર્ટ એડવોકેટ એસો.ની રજૂઆત કરી હતી.
એડવોકેટ જનરલે કહ્યું મીડિયા રિપોર્ટમાં વધુ પડતી વરવી સ્થિતિ બતાવે છે. એડવોકેટ જનરલની વાત સાથે ચીફ જસ્ટીસે અસહમતી દર્શાવી હતી અને કહ્યુ હતુ કે,મીડિયાના રિપોર્ટને સદંતર અવગણી ન શકીએ. જે સ્થિતિ છે તે જ મીડિયામાં બતાવાઈ રહી છે.
રેમડેસિવિર પર હાઈકોર્ટે કહ્યું ક્યાંથી મળશે ઈન્જેક્શન સહિતની વિગતો જણાવો
જેના જવાબમાં AGએ કહ્યુ હતુ કે, રેમડેસિવિર ત્યારે જ અપાય છે જયારે વ્યકિતને ચાર થી પાંચ દિવસ સતત તાવ હોય. ઓક્સિજનનું સ્તર પણ ઉંચું-નીચું રહેતું હોય્ ત્યારે તબીબી દેખરેખ નીચે રેમડેસિવિર અપાય છે. રેમડેસવિર માત્ર હોસ્પિટલના ઉપયોગ માટે જ છે. રેમડેસિવિર પેરાસિટામોલની જેમ આપી નથી શકાતા. હોમકેરના પેકેજમાં રેમડેસિવિર આપવામાં આવ્યા છે
બેડ વિશે પણ સરકારને પૂછ્યા સવાલ
હાઈકોર્ટે પૂછ્યુ હતુ કે હાલ કેટલા બેડ છે અને કેટલા નથી તેનો સ્ટેટસ રિપોર્ટ આપો
જેનો જવા AGએ આપ્યો હતો કે, ધીમે-ધીમે બેડ વધી રહ્યા છે અને અમે કામ કરી રહ્યા છીએ. . ઓક્સિજનના અભાવે લોકોને તકલીફ ન પડે તે માટે અમે પ્રયત્નશીલ છીએ. અમે રાજ્ય બહારથી પણ ઓક્સિજન મળે તે માટે વ્યવસ્થા કરીશું. ચાર મહાનગરોએ લગભગ 482 મેટ્રિક ટનનું ઉત્પાદન કર્યુ છે. કેન્દ્ર સરકારે 8 ઓક્સિજન પ્લાન્ટને મંજૂરી આપી છે. ઓક્સિજનની ઘટ એ પણ મહત્વનો વિષય છે.
હાઈકોર્ટે કહ્યું કે, વારંવાર સરકારને ટકોર કરવામાં આવી છે છતાં પરિસ્થિતિ પર કાબૂ નથી. તમે બેડ ખાલી હોવાનું કહો તો દર્દીઓ કેમ ફરી રહ્યા છે, લાઇનો કેમ લાગે છે. હાઈકોર્ટે પૂછ્યું કે, દરેક તાલુકામાં અને જિલ્લામાં RTPCR ટેસ્ટ સુવિધા છે?જે દર્દીને ઓક્સિજનની જરૂર છે એને દાખલ કરવામાં આવતા નથી, આ સાચું છે? સાથે જ હાઈકોર્ટે સરકારને સૂચનો આપ્યા કે, ઓક્સિજનનું બ્લેકમાર્કેટિંગ થઈ રહ્યું છે, અરેજમેન્ટ જલ્દી કરાવો. રાજ્યસરકાર જે કામ કરી રહી છે તેનાથી વધુ કરવાની જરૂર છે
સુનાવણી દરમિયાન એક તબક્કે સરકારી વકીલે બીજા રાજ્યોની વધુ વણસેલી સ્થિતિ સાથે ગુજરાતની સરખામણી કરતાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે તેમને ત્યાં જ અટકાવી દીધા હતા. તેમણે ટકોર કરી હતી કે "બીજા કોઈ રાજ્યની સરખામણી આપણે કરવાની જરૂર નથી. ગુજરાતમાં છીએ તો ગુજરાતની વાત કરો. આપણે આટલા આધુનિક છીએ તેમ છતાંય કેમ આ પરિસ્થિતિ છે?
રેમડેસિવર શું છે તે ક્યારે ઉપયોગી છે?
સરકારે શું આપ્યો જવાબ
ગુજરાતમાં કોરોના વાયરસની બગડતી પરિસ્થિતિ મુદ્દે હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો ત્યારે સરકાર તરફથી હાઇકોર્ટમાં 61 પાનાંનું સોગંધનામું રજૂ કરવામાં આવ્યું છે જેમાં સરકાર દ્વારા કોરોનાકાળમાં કરવામાં આવેલ કામગીરી વિશે જાણકારી આપવામાં આવી છે.
લોકડાઉન કે કર્ફ્યૂના મૂડમાં નથી સરકાર
સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ મહામારીમાં સરકાર કટિબદ્ધ છે અને એફિડેવિટ પરથી જાણી શકાય છે કે સરકારનો લોકડાઉન કે કર્ફ્યૂને લઈને કોઈ જ વિચાર નથી ચાલી રહ્યો.
ઈંજેક્શન અને ઑક્સીજન પર હાઇકોર્ટને આપી ખાતરી
સરકાર દ્વારા હાઇકોર્ટમાં ઈંજેક્શન મુદ્દે પણ જવાબ આપવામાં આવ્યો છે જેમાં સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે કાળાબજારી પર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ઑક્સીજન મુદ્દે 17 એપ્રિલ બાદ અછત નહીં થાય તેવી ખાતરી આપવામાં આવી છે. સરકારે જણાવ્યું કે ઑક્સીજનનું ઉત્પાદન 900 મેટ્રીક ટનથી વધારી 1100 મેટ્રીક ટન કરવામાં આવ્યું છે.
લગ્ન અને મરણ માટે હાઇકોર્ટના સૂચન બાદ સરકારે લીધો નિર્ણય
હાઇકોર્ટ દ્વારા સુઓમોટો કેસમાં સુનાવણી દરમિયાન સૂચન કરવામાં આવ્યું હતું કે લગ્નમાં વધુમાં વધુ લોકોને એકઠા થવા પર લિમિટ 50 કરવામાં આવે ત્યારે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે લગ્ન મરણ પ્રસગમાં 50 લોકોની હાજરીની જાહેરાત કરી દેવામાં આવી છે.