આખરે ગાંધી આશ્રમના રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટને ગુજરાત હાઇકોર્ટ દ્વારા લીલીઝંડી આપી દેવાઇ છે. ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીની અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી છે.
ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઈકોર્ટમાં કરી હતી અરજી
ગાંધીજીના વિચારોને પ્રસારવા પ્રોત્સાહન મળશે: HC
ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઈકોર્ટમાં કરી હતી અરજી
ઉલ્લેખનીય છે કે, ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગાંધી આશ્રમના રી-ડેવલપમેન્ટને અટકાવવા માટેની અરજી કરી હતી. પરંતુ હાઇકોર્ટે તુષાર ગાંધીની અરજીને ફગાવી દીધી છે. મહત્વનું છે કે, આ પ્રોજેક્ટને લઇને હાઇકોર્ટે મહત્વનું અવલોકન કર્યું હતું. ત્યારે હાઇકોર્ટે સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
ગાંધીજીના વિચારોને પ્રસારવા પ્રોત્સાહન મળશે: HC
હાઇકોર્ટે અવલોકન કરતા કહ્યું કે, 'ગાંધીજીના વિચારોને પ્રસારવા પ્રોત્સાહન મળશે. ગાંધી આશ્રમ આસપાસના વિસ્તારોને ડેવલપ કરાશે.' મહત્વનું છે કે, તુષાર ગાંધીએ ગાંધી આશ્રમ ઐતિહાસિક ધરોહર હોવાથી રી-ડેવલપમેન્ટ ન થઈ શકે તેવી રજૂઆત કરી હતી.
તમને જણાવી દઇએ કે, ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગાંધી આશ્રમમાં રી-ડેવલપમેન્ટને લઈને હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. જેમાં તુષાર ગાંધીએ કહ્યું હતું કે 'આશ્રમનું રી-ડેવલપમેન્ટ કરવાથી ગાંધીજી દ્વારા પ્રસ્થાપિત સિદ્ધાંતોનું જ હનન થયું ગણાશે. લાખો લોકોના ગાંધીજી સાથેના ઐતિહાસિક સંસ્મરણો ધરાવતા આશ્રમની કાયાપલટ કરી શકાય નહીં, એટલું જ નહીં ગાંધી આશ્રમનું ઓરિજનલ સ્વરૂપ બદલાશે તો લાખો ગાંધીવાદીઓની લાગણીઓ પણ દુભાઈ શકે છે. આશ્રમમાં લગભગ 7 દાયકાથી રહેતા આશ્રમવાસીઓને અન્યત્ર જગ્યાએ ખસેડવાનો નિર્ણય પણ ગેરબંધારણીય છે. મૂળ ધરોહરને તેના મૂળ સ્વરૂપથી અલગ બનાવાતાં તેનં મૂલ્ય ઘટી જશે.'
અત્રે નોંધનીય છે કે, ગાંધી આશ્રમની મૂળ સ્થિતિ જળવાઈ રહે તે માટે ગાંધી આશ્રમ વિસ્તારને વિશ્વ કક્ષાનો બનાવવા 1200 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરાનાર છે. જેમાં ગાંધી આશ્રમમાં રહેતા આશ્રમવાસીઓને 55 એકરની જમીનમાં અલાયદી જગ્યા ફાળવાશે. એટલું જ નહીં ગાંધી આશ્રમને સાયલન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવશે. પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈના સમાધિસ્થળનો પણ વિકાસ કરવામાં આવશે. ગાંધી સંશોધન અને વિકાસ તથા વિસ્તાર માટે નવો વિભાગ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ગૌશાળા ટ્રસ્ટ, ખાદી ભવન વગેરેનો પણ વિસ્તાર કરવામાં આવશે.
મૂળ ઓળકને જાળવી રાખીને વિકાસ કરવાનું આયોજન
મહત્વનું છે કે આશ્રમ ખાતે મોરારજી દેસાઈની સમાધિ અભયઘાટનો પણ વિકાશ કરાશે, તેમજ ગાંધી સંશોધન અને વિકાસ ક્ષેત્રના વિસ્તરણ સાથે સાથે સાથે ગૌશાળા ટ્રસ્ટ, ખાધી ભવનનું પણ વિસ્તરણ કરવામાં આવશે. ગાંધીજીના વિચારો, રહેણીકરણી, ગાંધીજીના મૂલ્યો અંગે પણ 5 નવા મ્યૂઝિયમ બનશે, આ માટે નવી ટીપી પાડીને રોડ, ગટરલાઈનનો પ્લાન પણ તૈયારવામાં આવનાર છે. ગાંધી આશ્રમની મૂળ ઓળખ જાળવી રાખીને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે તે માટે આ વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે.
જાણો સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિશે...
ગાંધી આશ્રમનો 55 એકરમાં વિકાસ કરાશે
આશરે રૂ.1200 કરોડના ખર્ચે આશ્રમ ડેવલપ કરાશે
રાજ્ય સરકારે 50 કરોડ રૂપિયાની કરી છે ફાળવણી
5 વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને ફોટો ગેલેરી બનાવાશે
આશ્રમ ડેવલપમેન્ટનો બેઝિક પ્લાન તૈયાર કરી દેવાયો
પ્લાન ફાઇનલ મંજૂરી માટે કેન્દ્ર સરકારમાં મોકલાયો
આશ્રમને મૂળ સ્થિતિમાં જાળવી વર્લ્ડ ક્લાસ બનાવાશે
આશ્રમવાસીઓના મકાનને બનાવાશે હેરિટેજ પ્લેસ
આશ્રમના 300 મકાનોને બનાવાશે હેરિટેજ સ્થાન
આશ્રમ સંકુલને સાયલન્ટ ઝોન જાહેર કરાશે
આશ્રમવાસીઓને બહારના ભાગે ટેનામેન્ટ ફાળવાશે
મોરરજી દેસાઇની સમાધિ અભયઘાટનો વિકાસ કરાશે
ગાંધી સંશોધન અને વિકાસ, વિસ્તાર માટે નવો વિભાગ શરૂ કરાશે
હરિજન આશ્રમ, ગૌશાળા ટ્રસ્ટ, ખાદી ભવનનો વિસ્તાર થશે