કોરના સંકટમાં ગુજરાતમાં કેસની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધો હતો. દર્ધીઓને યોગ્ય સારવાર ન મળતી હોવા મામલે થયેલી જાહેરહિતની અરજીમાં વીડિયો કોન્ફરન્સથી કરવામાં આવેલી સુનાવણીમાં સરકારે ગુજરાત સરકારને જવાબ આપવા કહ્યુ હતુ.
કોરોના સંક્રમણ મામલે થયેલી HC માં થયેલી અરજીનો મામલો
ગુજરાત હાઇકોર્ટમાં વિડીયો કોન્ફરસથી હાથ ધરાઈ સુનાવણી
દર્દીઓને એવું ન થવું જોઈએ કે સારવાર પશુઓની જેમ થાય છેઃHC
આજે ગુજરાત હાઈકોર્ટમાં સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને યોગ્ય સારવાર ન મળતી હોવાનો દાવો કરતી જાહેર હિતની અરજી અંગે સુનાવણી કરવામાં આવી હતી. આ સુનાવણી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવી હતી જેમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્યસરકારનો ઉધડો લઈ લીધો હતો.
શું કહ્યુ હાઈકોર્ટે?
હાઈકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતા સરકારને કહ્યુ હતુ કે, દર્દીઓની સારવાર યોગ્ય થવી જોઈએ. દર્દીઓને એવું ન લાગવું જોઈએ કે એમની સારવાર પશુઓની જેમ થાય છે.
શું હતુ અરજીમાં
જાહેરહિતની અરજી કરનારે તંત્ર પર આક્ષેપ લગાવ્યો હતો કે, હોસ્પિટલમાં દર્દીઓને જમવાનું યોગ્ય નથી અપાતુ. હોસ્પિટલમાં સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળે છે. ડોક્ટરોને પણ તકલીફોનો સામનો કરવો પડે છે. સરકારી હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતી હોવાનો દાવો કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર, ડોક્ટર્સને પડી રહેલી તકલીફો, લોકોને મળતું હલકી ગુણવત્તાયુક્ત જમવાનું આવા મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.
આ હાલત સુધરવી જોઈએ : હાઈકોર્ટ
આ મામલે હાઈકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું હતું કે અમદાવાદની સિવિલ હોસ્પિટલને લઈને રોજ મીડિયામાં ખરાબ હાલત અને બેદરકારીના સમાચાર આવી રહ્યાં છે ત્યારે આ ચિંતાનજક બાબત છે. આ સ્થિતિમાં જલ્દીથી સુધારો આવવો જોઈએ. હાઈકોર્ટની ટકોર સામે સરકાર વતી એડવોકેટ જનરલે ખાતરી આપી હતી કે આ સ્થિતિને સુધારવા માટે જલ્દીથી પૂરતા પ્રયાસ કરાશે.
મહત્વનું છે કે અગાઉ કોરોના વાયરસના દર્દીઓને સેવાઓ ન મળતી હોવાના ઘણા વીડિયો વાયરલ થયા હતા. જેમાં દર્દીઓએ ખુદ વીડિયો બનાવીને યોગ્ય સુવિધા અને સારવાર ન મળતી હોવાની ફરિયાદો કરી હતી.
કોરોના પોઝિટિવ દર્દીઓ બેડ નહીં મળતા સિવિલ હોસ્પિટલમાં ભટક્યા, વીડિયો બનાવી વ્યક્ત કરી વ્યથા.