વિદ્યા સહાયક ભરતી મુદ્દે HCમાં થયેલી અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે સરકારના પરિપત્ર પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી છે.
BIG NEWS: વિદ્યા સહાયક ભરતી મુદ્દે થયેલી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી, CRC ડેપ્યુટેશન પરથી પરત ફરે ત્યારે એની જગ્યાએ રખાયેલ વિદ્યા સહાયકોને ફાજલ જાહેર કરી શકાશે#gujarathighcourt
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 18, 2022
CRC ડેપ્યુટેશન પરથી પરત ફરે ત્યારે એની જગ્યાએ રખાયેલ વિદ્યા સહાયકોને ફાજલ જાહેર કરી શકાશે
CRC ડેપ્યુટેશન પરથી પરત ફરે ત્યારે એની જગ્યાએ રખાયેલ વિદ્યા સહાયકોને ફાજલ જાહેર કરી શકાશે. આ પહેલા CRC પોતાની પોસ્ટ પર પરત ફરે ત્યારે જો એ જગ્યાએ નિમણૂંક થયેલી હોય તો CRC ને નજીકના તાલુકા કે જિલ્લામાં બદલી અપાતી હતી. જો કે સરકારે કરેલા પરિપત્ર બાદ હવે CRC ડેપ્યુટેશન પરથી પરત ફરે ત્યારે એ પોતાની પોસ્ટ પર રહેશે અને એના બદલે નિયુક્ત કરાયેલા વિદ્યા સહાયક ફાજલ જાહેર થશે. આથી, હજારો વિદ્યા સહાયકોને આ હુકમની અસર થશે.
વિદ્યાસહાયકોએ નોકરીના વર્ષોની સિનિયોરીટી મળે તે માટે HCમાં અરજી કરી હતી
ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટે અગાઉ વિદ્યાસહાયકોની બદલી મુદ્દે રાજ્ય સરકારે બહાર પાડેલા પરિપત્ર પર રોક લગાવી હતી. મહત્વનું છે કે, વિદ્યાસહાયકોની બદલી સમયે નોકરીના વર્ષોની સિનિયોરીટી ગણાશે નહીં તેવો સરકારે પરિપત્ર બહાર પાડ્યો હતો. જેને લઇને વિદ્યાસહાયકોએ નોકરીના વર્ષોની સિનિયોરીટી મળે તે માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને સરકારના પરિપત્રને રદ કરવા માટે માંગ કરવામાં આવી હતી. પરંતુ અંતે ગુજરાત હાઈકોર્ટે સરકારના પરિપત્ર પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી છે. આથી, CRC ડેપ્યુટેશન પરથી પરત ફરે ત્યારે એની જગ્યાએ રખાયેલ વિદ્યા સહાયકોને ફાજલ જાહેર કરી શકાશે.