ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસની વચ્ચે સૌથી વધારે પ્રજા અમદાવાદમાં પરેશાન થઈ રહી છે. અમદાવાદમાં વારંવાર તંત્ર દ્વારા અણઘડ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે જેનો ભોગ દર્દીઓ બની રહ્યા છે. શહેરમાં થોડા દિવસ પહેલા સુધી તો 108 વગર હોસ્પિટલમાં કોઈને દાખલ કરવામાં જ નહોતા આવતા. આવા જુદા જુદા નિર્ણયોના કારણે આદમાવાદની પ્રજા હેરાન થઈ હતી જેના કારણે બે બે દિવસ સુધી તો 108 ઍમ્બ્યુલન્સ પણ મળતી હતી નહીં. અમદાવાદની પ્રજાને થયેલી આ બધી મુશ્કેલીઓ વિશે આજે હાઇકોર્ટે AMCને બરાબરની તતડાવી.
હાઇકોર્ટે AMCને પણ ખખડાવી, AMC શું છુપાવવાનો પ્રયાસ કરી રહી છે?-HC
નોંધનીય છે કે અમદાવાદમાં દર્દીઓને સારવાર માટે બેડ નથી મળી રહ્યા ત્યારે આજે સુનાવણીમાં હાઇકોર્ટે રિયલ ટાઈમ બેડ અવેબિલીટી મામલે AMCના વકીલને ખખડાવ્યા હતા. હાઇકોર્ટે કહ્યું કે હોસ્પિટલ આગળ બોર્ડ લગાવવાથી કંઈ નહીં થાય, દર્દીઓને એક હોસ્પિટલતી બીજી હોસ્પિટલ ભટકતા ન છોડી શકાય. જો અન્ય કોર્પોરેશન કરી શકે તો AMC કેમ ન કરી શકે? AMC શું છુપાવવાનો પ્રયાસ કરી રહી છે?
શું કોર્પોરેશનની કામગીરી પર નજર નથી રખાતી?-HC
અમદાવાદમાં થોડા દિવસ પહેલા સુધી માત્ર 108માં આવતા દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હતા જોકે કેટલાય દિવસ સુધી ભારે વિરોધ બાદ તંત્ર દ્વારા આ નિર્ણય હટાવી દેવામાં આવ્યો હતો ત્યારે આજે રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટમાં ગુજરાત સરકારે કહ્યું કે 108નો નિર્ણય તો કૉર્પોરેશનનો હતો અમારો નહીં. કોરોના સમયે નિષ્ફળ રહેલી રાજ્ય સરકારને હાઈકોર્ટે આજે સવાલ કરતાં કહ્યું કે શું રાજ્ય સરકારનો કોર્પોરેશન પર કોઈ અંકુશ નથી? શું સરકાર કોર્પોરેશનની કામગીરી પર નજર નથી રખાતી? અને કોર્પોરેશન રાજ્ય સરકારની પોલિસીનું પાલન કેમ નથી કરતી? દર્દીઓને એમ્બ્યુલન્સ માટે 48 કલાક રાહ જોવી પડી રહી છે. આ સંપૂર્ણ સિસ્ટમની નિષ્ફળતા છે કે જિલ્લામાં રેમડેસિવિર ઈન્જેક્શન નથી મળતા.
A