ગુજરાતમાં શાળાઓમાં ફી મામલે વિવાદ વકર્યો હતો જેને પરિણામે વાલીઓએ હાઈકોર્ટનું શરણું લીધુ હતુ જેની સુનાવણીમાં હાઈકોર્ટે સરકાર પાસે વિદ્યાર્થીઓની ફી ન ભરાય તો તેમનો પ્રવેશ શાળાઓ રદ્દ નહીં કરી શકે તે અંગેની બાહેંધરી માંગી હતી.
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે માગી બાંહેધરી
વાલીઓ ફી ભરવામાં નિષ્ફળ જાય તો બાળકોના એડમિશન રદ ન થાય
ખાનગી શાળાઓ કેન્સલ ન કરે તે માટે રાજ્ય સરકાર બાંહેધરી લે: હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે બાંહેધરી માગી છે. કોરોનાની મહામારીના કારણે ત્રણ મહિનાથી ધંધા રોજગાર બંધ છે ત્યારે શાળા સંચાલકોની દાદાગીરી અને મનમાની સામે આવી હતી. ત્યારે બાળકોનું ભવિષ્ય ન બગડે તે હેતુથી વાલીઓ હાઈકોર્ટના દ્વારે ગયા હતા.
સરકાર પાસે માંગી બાહેંધરી
ત્યારે હવે હાઈકોર્ટે સરકાર પાસે બાંહેધરી માગી છે કે, ખાનગી શાળામાં જ વાલી ફી ન ભરી શકે તેના બાળકનું એડમિશન રદ કરવામાં ન આવે તેની ખાતરી આપવી પડશે. હાલ મહામારીના કારણે લોકો તણાવમાં છે ત્યારે આ પ્રકારની મુશ્કેલી તેમનો તણાવ વધારી શકે છે.
શાળાઓ દ્વાર મોં માંગી ફી વસુલાઈ રહી છે અને 3 મહિના કોઈ કમાણી નથી થઈ ત્યારે વાલીઓ કેવી રીતે ફી ભરી શકે? કોરોના મહામારીમાં આ વાલીઓને પરેશાન ન કરવા જોઈએ.