રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ મુદ્દે મસમોટા દાવાઓ કરવામાં આવે છે. પણ હકીકત કઈંક અલગ જ છે. વિધાનસભામાં રજૂ કરેલા આંકડા મુજબ 19 હજાર 128 ઓરડાની ઘટ
રાજ્યમાં વિદ્યાર્થીઓના અભ્યાસનો વિવાદ પહોંચ્યો હાઈકોર્ટ
ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અંગે હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા
રાજય સરકાર શિક્ષણની ગુણવતા સુધારવા અને વિદ્યાથીઑ સરકારી શાળા તરફ આકર્ષાય તે માટે કન્યા કેળવણી મહોત્સવ ,પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો યોજી ને કરોડો રૂપિયાના આંધણ કરે છે પંરતુ વિદ્યાથીઑ ને બેસવા મટે તાતી જરૂરિયાત એવું વર્ગખંડો પૂરતા પ્રમાણમાં ઉભા કરતી નથી જેના કારણે અનેક શાળાઓમાં બાળકો તડકા માં બેસીને અભ્યાસ કરવા મજબૂર બને છે.ત્યારે સમગ્ર મામલના સજ્ઞાન હાઈકોર્ટે લીધું છે અને સૂઓમોટો કરી સરકારને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
નાના વિદ્યાર્થીઓને શાળાના અભાવે ખુલ્લામાં અભ્યાસ કરવો પડે છે: ગુજરાત હાઈકોર્ટ
રાજ્યમાં વિદ્યાર્થીઓના અભ્યાસનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો છે. ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી સુઓમોટો દાખલ કર્યો છે. ત્યારે સુનાવણી દરમિયાન ખુલ્લામાં અભ્યાસ કરવા મૂદ્દે સરકારને જવાબ રજૂ કરવા નિર્દેશ કરી દીધો છે. જેની સામે સરકારે કહ્યું છે કે બાળકો ખુલ્લામાં અભ્યાસ કરતાં નથી. તેવી દલીલ પર હાઈકોર્ટે સંજ્ઞાન લેતા કહ્યું છે કે નાના વિદ્યાર્થીઓને શાળાના અભાવે ખુલ્લામાં અભ્યાસ કરવો પડે છે. આથી રાજ્યના જિલ્લા તાલુકાઓમાં કેટલી સરકારી શાળા છે? તેમજ શુ સરકારી શાળા માં વ્યવસ્થા નથી? તેવો વળતો પ્રશ્ન કરી હાજર અધિકારીઑ અને શિક્ષણ વિભાગનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટનું વલણ જોઇ સરકારી અધિકારી કોર્ટમાં મૌન બેસી રહ્યા હતા.
સરકારી પ્રાથમિક શાળામાં 19 હજાર 128 ઓરડાની ઘટ
આપણી સરકાર શહેરોમાં સ્માર્ટ શાળા બનાવે છે.. અને તેની પાછળ કરોડો રૂપિયા પાણીની જેમ વહાવે છે.. જ્યારે બીજી તરફ ગ્રામ્ય કક્ષાએ શાળાઓની હાલત ખંડેર જેવી છે. બજેટ સત્રમાં કોંગ્રેસે પૂછેલા જવાબમાં ઓરડા ઘટને લઈ મોટો ફોળ પડ્યો હતો. સરકારી પ્રાથમિક શાળામાં 19 હજાર 128 ઓરડાની ઘટ હોવાનું ખુદ સરકારે સ્વીકાર્યું હતું. વર્ષ 2020-21માં માત્ર 972 ઓરડા બનાવવામાં આવ્યા છે નવાઈની વાત તો એ છે કે 14 જિલ્લામાં એક પણ ઓરડો બનાવવામાં આવ્યો નથી. 2015ની સ્થિતિએ પ્રાથમિક શાળામાં 8388 ઓરડાની ઘટ હતી. 2018માં 16 હજાર 8 ઓરડાની ઘટ હતી તેમજ 2021માં પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ 18 હજાર 537 હતી. આમ ગુજરાતની શાળાઓમાં સતત ઓરડા ઘટ જોવા મળી રહી છે.
શિક્ષણ એ કોઇ પણ સભ્ય અને વિકસિત સમાજ માટે પાયાની જરૂરિયાત છે.ત્યારે એક તરફ આપણે વિકસિત ગુજરાતની વાતો કરીએ છીએ શિક્ષણના આધુનિકરણની વાતો કરીએ છીએ પણ શિક્ષણ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં પાંગળા સાબિત થઈએ છીએ.