ઉત્તર ગુજરાતના જામરૂ ગામે એક પિતાએ આશરે 20 મહિનાથી પુત્રના મૃતદેહને સાચવી રાખ્યો છે. ન્યાય મળે તે માટે તેણે આ પગલું ભર્યું છે. આ કેસ બનાસકાંઠા જિલ્લાનો છે. આદિવાસી સમાજમાં ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહનો અંતિમ સંસ્કાર ન કરવાની પરંપરા છે. જેને 'ચડોતરુ' ન કહેવામાં આવે છે. આવો જાણીએ શું છે આ કેસ...
ચાર સંતાનોના પિતાનું મોત, ન્યાય માટે પરિવારના વલખા
પરિવારે ન્યાય મળે તે માટે દિકરાનું હાડપિંજર 20 મહિનાથી સાચવી રાખ્યું
20 મહિનાથી પરિવારને મૃતકનો એફએસએલ રિપોર્ટ સુદ્ધા મળ્યો નથી
સપ્ટેમ્બર 2018 માં નટુભાઇનો મૃતદેહ ખેતરમાં પડેલો મળ્યો હતો. પરિવારે પડોશી રમણભાઇ સહિત 10 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરાવવા માટે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.
પરિવારજનોની માંગ પર પોલીસે મૃતદેહને એફએસએલની તપાસ માટે પણ મોકલી આપ્યો હતો. પરંતુ દોઢ વર્ષ બાદ પણ એફએસએલના રિપોર્ટનું પરિણામ જણાવવામાં આવ્યું નથી. મૃતકના 64 વર્ષીય પિતાએ જણાવ્યું કે નટુના ચાર સંતાનોને મોટો ભાઈ સંભાળી રહ્યો છે. ત્યારે તેના હાડપિંજરને ઝૂંપડીની સામે બિન ઉપયોગી શૌચાલયમાં મૂકવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યાનુંસાર પરિવાર દિકરાના મોતનું કારણ જાણવા માંગે છે. તેમજ તેને ન્યાય મળે તે માટે પ્રયાસ કરી રહ્યા છે. આ જ કારણે તેમણે હાડપિંજરને સાચવી રાખ્યું છે.