ગુજરાતમાં હાલ છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં પડી રહેલા અવિરત વરસાદના પગલે ઠેર-ઠેર રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે. ત્યારે રસ્તા પર પાણી ભરાતા રાજ્યમાં અંદાજે 58 જેટલા એસટી (ST) બસના રૂટ બંધ કરવામાં આવ્યાં છે. એસટી (ST) વિભાગને રૂટ બંધ થતાં અંદાજે 19.51 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
રાજ્યમાં ભારે વરસાદથી એસટીના રૂટ બંધ કરાયા
રસ્તા પર પાણી ભરતા એસટીના 58 રૂટ બંધ કરાયા
એસટી વિભાગને રૂટ બંધ થતા રૂ.19.51 લાખનું નુકસાન
હાલ રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં પડી રહેલા વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. જેના પગલે રાજ્યના એસટી (ST) વિભાગ દ્વારા અલગ-અલગ 58 રૂટ બંધ કરવામાં આવ્યાં છે.
જો કે એસટી (ST) વિભાગ દ્વારા રૂટ બંધ કરવામાં આવતા અંદાજે 19.51 લાખનું નુકસાન થયું છે. જો કે આ સાથે વરસાદી માહોલમાં એસટી બસમાં મુસાફરી કરતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ST વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં પડી રહેલા મુશળાધાર વરસાદના પગલે દેવભૂમિ દ્વારકાના 18 રૂટ બંધ કરવામાં આવ્યાં છે. જ્યારે જૂનાગઢ 10 રૂટ, જામનગરમાં 8 રૂટ બંધ, દાહોદમાં 8 રૂટ, અમદાવાદના 2, ભરૂચ 1 રૂટ, ભાવનગર-1, બોટાદ-2, કચ્છ-1, રાજકોટ-1, બનાસકાંઠા-1, મહેસાણામાં 1 રૂટની બસ સેવા બંધ કરવામાં આવી છે.