ગુજરાતમાં કોરોનાના સંકટ વચ્ચે એક તરફ રાજ્યની પ્રજા માટે રાહતના સમાચાર તો બીજી તરફ મુશ્કેલી ભર્યા સમાચાર આવ્યાં છે. રાજ્યની પ્રજા માટે જુન મહિનામાં જે વાવાઝોડું ટકરાવાનું હતું તે હવે ઓમાન તરફ ફંટાઇ તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જો કે રાજ્યમાં આગામી સમયે કેટલાંક જિલ્લાઓમાં હિટવેવની શક્યતા યથાવત જોવા મળી રહી છે.
હવામાન વિભાગે કરી રાજ્યમાં હીટવેવની આગાહી
રાજ્યના 10 જિલ્લાઓમાં ગરમીનો પારો ઉચકાઈ શકે
મધ્ય-ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર ગરમીનો પ્રકોપ વધી શકે
રાજ્યના કેટલાક જિલ્લામાં હિટવેવ યથાવત્ રહી શકે છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે રાજ્યના 10 જિલ્લામાં ગરમીનો પારો ઉચકાઈ શકે છે. જેના કારણે મધ્ય-ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો ઉચકાઈ શકે છે.
જ્યારે બીજી તરફ અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં હિટવેવની અસર થશે. જ્યારે વડોદરા અને ભાવનગરમાં પણ હિટવેવ રહેવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં પણ ગરમી વધી શકે છે. જ્યારે કેટલાક શહેરમાં તાપમાનનો પારો 47 ડિગ્રી સુધી પહોંચે તેવી પણ આશંકા છે.
ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાને લઇને રાજ્યમાં જાહેર કરાયેલા લોકડાઉનના પગલે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે ત્યારે આગામી સમયમાં રાજ્યભરમાં આગામી સમયમાં હિટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ અગાઉ રાજ્યમાં ભયાનક લૂ લાગવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. રાજ્યમાં આગામી સમયમાં તાપમાનનો પારો હજી પણ ઉપર જોવા મળે તેવી સંભાવના છે.
જો કે બીજી તરફ કોરોનાના સંકટનો સામનો કરી રહેલી રાજ્યની પ્રજા માટે રાહતના સમાચાર આવી રહ્યાં છે. હવે એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે અરબી સમુદ્રમાં સક્રિય થઇ રહેલું વાવાઝોડું પોતાની દિશા બદલી ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા છે. આમ ગુજરાત પરથી વાવાઝોડાંનું સંકટ ટળે તેવી સંભાવના જોવા મળી રહી છે.