થોડા દિવસ પહેલા નાસિકના એક વ્યક્તિએ દાવો કર્યો કે કોરોના વાયરસની રસી લીધા બાદ તેમનું શરીર ચુંબક બની ગયું છે.
રસી બાદ શરીર પર ચીજવસ્તુ ચોંટવાનો મામલો
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરાયો ખુલાસો
પરસેવાને કારણે ચીજવસ્તુ ચોંટી હોવાનો દાવો
ખોટી અફવાઓમાં આવશો નહીં
ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે અને વાયરસની સામે લડવા માટે વધુમાં વધુ લોકો રસી લે તે ખૂબ જ જરૂરી છે. એવામાં ઘણા બધા લોકો જુદા જુદા પ્રકારની અફવાઓ અને ભ્રમણાઑ ફેલાવવામાં લાગી ગયા છે ત્યારે ગુજરાતમાં ફેલાયેલી અફવાઓ પર મોટો ખુલાસો થયો છે.
શું હતો દાવો?
થોડા દિવસ પહેલા નાસિકના એક વ્યક્તિએ દાવો કર્યો કે કોરોના વાયરસની રસી લીધા બાદ તેમનું શરીર ચુંબક બની ગયું છે અને વસતો તેમના શરીર પર ચોંટી રહી છે. તે વ્યક્તિનો વીડિયો વાયરલ થયા બાદ ગુજરાતના પણ ઘણા બધા લોકો પોતપોતાના વીડિયો બનાવીને શેર કરવામાં લાગી ગયા. એવામાં હવે પાલનપુરમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેના પર મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.
પાવડર લગાવી પરસેવો સાફ કરતા દાવો થયો પોકળ
પાટણના મેગ્નેટ મેન ભરત જોશીનું બોડી ચેકઅપ બાદ સામે આવ્યું છે કે પરસેવાથી સિક્કા અને મોબાઇલ ચમચી અન્ય ચીજ વસ્તુઓ ચોટી રહી છે જ્યારે તેમના શરીર પર પાવડર લગાવીને પરસેવો સાફ કરવામાં આવ્યો તો દાવો પોકળ સાબિત થયો.
નોંધનીય છે કે આ પ્રકારના કેસ સતત વધતાં ગુજરાતભરના લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. આજે સીએમ રૂપાણીની પત્રકાર પરિષદમાં પણ આ પ્રકારના સવાલ કરવામાં આવ્યા હતા ત્યારે આરોગ્ય વિભાગે સમગ્ર મામલે મોટો ખુલાસો કર્યો છે.