ગુજરાતમાં આજે થોડા રાહતના સમાચાર મળી રહ્યાં છે કારણ કે હાલ એક પણ કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આરોગ્ય અગ્રસચિવ જ્યંતિ રવિએ સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આજે કોરોનાનો પોઝિટિવ કેસ નથી નોંધાયો જ્યારે એક 67 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 95 પર પહોંચ્યો છે. જ્યારે કુલ 10 દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યાં છે.
રાજ્યમાં કોરોના વાયરસના કુલ 95 કેસઃ જયંતિ રવિ
હાલ એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથીઃ જયંતિ રવિ
67 વર્ષના વૃદ્ધનું મોત થયું છેઃ જયંતિ રવિ
જયંતિ રવિએ જણાવ્યું કે, કોરોનાથી રાજ્યમાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે. અમદાવાદ, સુરત, ભાવનગરને હોટ સ્પોટ જાહેર કરાયા છે. કોરોનાના માત્ર 1 દર્દી જ વેન્ટિલેટર પર છે. જ્યારે 75 દર્દીઓની તબિયત હાલ સ્થિર છે. જ્યારે 10 લોકો સ્વસ્થ થતા તેમને રજા આપી દેવાઇ છે. રાજ્યમાં કુલ 14868 લોકો ક્વોરેન્ટાઇનમાં છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, જેમ જેમ આ ક્વોરેન્ટાઇન લોકોના 14 દિવસ પૂર્ણ થવા તરફ હોય છે તેમ તેમ તેમને છૂટ આપવામાં આવે છે. ક્વોરેન્ટાઇનના ભંગની તંત્ર અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કુલ 1998 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1901 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. 95 પોઝિટિવ અને 2 કેસ પેન્ડિંગ છે. આજે 135 સેમ્પલ લીધા હતા જેમાંથી એક પણ પોઝિટિવ કેસ નથી આવ્યો. 72 નેગેટિવ છે. જ્યારે 63 ટેસ્ટ પેન્ડિંગ છે.
જાણો ક્યાં કેટલાક કોરોનાના પોઝિટિવ કેસ
જીલ્લાનું નામ
પોઝિટિવ કેસ
સાજા થયા
મૃત્યુઆંક
અમદાવાદ
38
5
3
ભાવનગર
7
0
2
ગાંધીનગર
11
0
0
ગીર સોમનાથ
2
0
0
કચ્છ
1
0
0
પંચમહાલ
1
0
0
મહેસાણા
1
0
0
પોરબંદર
3
0
0
રાજકોટ
10
1
0
સુરત
12
3
1
વડોદરા
9
1
1
કુલ
87
10
7
અમદાવાદમાં કોરોનાનો કહેર વધ્યો
જયંતિ રવિએ જણાવ્યું કે, અમદાવાદના 5 વિસ્તારોને ક્વોરેન્ટાઈન કરાયા છે. આ 5 વિસ્તારોના 500 લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે. શાહઆલમ, દરિયાપુર, જમાલપુર અને બાપુનગર ક્વોરેન્ટાઈન કરાયા છે.
જયંતિ રવિએ કહ્યું કે, દરેકે માસ્ક પહેરવુ જોઈએ પરંતુ હાઈફાઈ માસ્ક પહેરવુ જરૂરી નથી. માસ્ક પહેરવાથી સંક્રમણની સંભાવના ઘટી જાય છે. કોટનનુ સાદુ માસ્ક પહેરે તો પણ ચાલે. વાપરાયેલુ માસ્ક ગમે ત્યા ન ફેંકીએ. માસ્ક ડીસ્પોઝ કરવામાં પણ સાવચેતી રાખવી જરૂરી છે. વોશ કરીને ફરી ઉપયોગ થાય તેવા માસ્કનો ઉપયોગ કરી શકાય છે.