આજે ગુજરાતમાં આમ તો ગઈકાલથી રાહતના સમાચાર મળી રહ્યાં હતાં કારણ કે સાંજ સુધી કોઈ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. પરંતુ આરોગ્ય અગ્રસચિવ જ્યંતિ રવિએ સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં વધુ એક કેસ પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું. ભાવનગરમાં વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 88 પર પહોંચ્યો હતો. જ્યારે આજે કુલ 3 દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યાં તેમ કહ્યું હતું.
આજે 3 દર્દીઓને ડિસ્ચાર્ચ કરાયા છે
ભાવનગરમાંથી આજે એક કોરોના પોઝિટિવ કેસ
ગુજરાતમાં કુલ 88 પોઝિટિવ કેસ નોંધાયા
આજે જ્યંતિ રવિએ સાંજે ગાંધીનગરથી પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે આજે ભાવનગર ખાતે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. આજે જે પોઝિટિવ છે તેને દિલ્હીથી આવેલા દર્દીથી ચેપ લાગ્યો હતો. જેના પગલે ભાવનગરમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 7 થયો છે. જેમાંથી એકનું અગાઉ મોત થઈ ચૂક્યું છે. આ સાથે તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે કુલ 88 કેસમાંથી 66 જેટલા દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 3 દર્દીઓને વેન્ટિલેટર પર રખાયા છે. તેમણે કહ્યું હતું કે કુલ 1714 રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે તે રાહતના સમાચાર છે.
3 દર્દીઓ સાજા થયાઃ જયંતિ રવિ
કોરોના કહેરને કારણે દેશમાં લોકડાઉન છે. આ લોકડાઉન હવે કામ કરી ગયું લાગે છે. ગુજરાતમાં આજે માત્ર એક કેસ કોરોના પોઝિટિવનો નોંધાયો છે. જે ભાવનગરમાં નોંધાયો છે. ત્યારે આજે સાજા પણ ત્રણ લોકો થયા જેમાં સુરતના બે અને રાજકોટના એક વ્યક્તિનો સમાવેશ થાય છે. તો રાજ્યમાં આજે એક વ્યક્તિનું મોત થયું જે વડોદરાના હતા. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ રાજ્યમાં આજનું અપડેટ આપ્યું હતું.
જાણો ક્યાં કેટલાક કોરોનાના પોઝિટિવ કેસ
જીલ્લાનું નામ
પોઝિટિવ કેસ
સાજા થયા
મૃત્યુઆંક
અમદાવાદ
31
5
3
ભાવનગર
7
0
2
ગાંધીનગર
11
0
0
ગીર સોમનાથ
2
0
0
કચ્છ
1
0
0
પંચમહાલ
1
0
0
મહેસાણા
1
0
0
પોરબંદર
3
0
0
રાજકોટ
10
1
0
સુરત
12
3
1
વડોદરા
9
1
1
કુલ
87
10
7
જયંતિ રવિએ કહ્યું કે, દરેકે માસ્ક પહેરવુ જોઈએ પરંતુ હાઈફાઈ માસ્ક પહેરવુ જરૂરી નથી. માસ્ક પહેરવાથી સંક્રમણની સંભાવના ઘટી જાય છે. કોટનનુ સાદુ માસ્ક પહેરે તો પણ ચાલે. વાપરાયેલુ માસ્ક ગમે ત્યા ન ફેંકીએ. માસ્ક ડીસ્પોઝ કરવામાં પણ સાવચેતી રાખવી જરૂરી છે. વોશ કરીને ફરી ઉપયોગ થાય તેવા માસ્કનો ઉપયોગ કરી શકાય છે.