ગુજરાતમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. તો બીજી તરફ સારા સમાચાર એવા પણ છે કે, રાજ્યના બાયો ટેકનોલોજી રિસર્ચ સેન્ટરે કોરોનાના જનીન સિકવન્સ શોધી કાઢ્યા છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ એક પત્રકાર પરિષદ મારફતે આપી હતી.
ગુજરાતમાં કોરોના આકરો બન્યો
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 310 નવા કેસ
ગુજરાતમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. તો બીજી તરફ સારા સમાચાર એવા પણ છે કે, રાજ્યના બાયો ટેકનોલોજી રિસર્ચ સેન્ટરે કોરોનાના જનીન સિકવન્સ શોધી કાઢ્યા છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ એક પત્રકાર પરિષદ મારફતે આપી હતી.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની વિગત આપતા કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 405 નવા કોરોના વાયરસના કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 14468 થઇ છે.
છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત
અમદાવાદ
310
સુરત
31
વડોદરા
18
સાબરકાંઠા
12
મહેિસાગર
7
ગાંધીનગર
4
પંચમહાલ
3
નર્મદા
3
ભાવનગર
2
આણંદ
2
સુરેન્દ્રનગર
2
અમરેલી
2
રાજકોટ
1
મહેસાણા
1
બોટાદ
1
ખેડા
1
પાટણ
1
વલસાડ
1
નવસારી
1
પોરબંદર
1
અન્ય રાજ્ય
1
કુલ
405
અમદાવાદમાં કોરોનાના નવા 310 કેસ નોંધાયા
અમદાવાદમાં સૌથી વધુ 310 કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયગાળાથી શહેરમાં કોરોનાના 300 કેસ નોંધાયા નહોતા ત્યારે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 310 કેસનો આંકડો ખરેખર ચિંતા વધારનારો છે. તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 31 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 224 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 6636 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત આપતા અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે, ગત 24 કલાકમાં 30 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 888 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે.
હાલ ગુજરાતમાં 109 દર્દીઓ વેન્ટિલેટર પર
આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં કોરોનાના 109 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 186361 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 14468 પોઝિટિવ આવ્યા છે તો 171893 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.