ગુજરાતમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. રાજ્ય સરકાર તથા તંત્રની રાત-દિવસની મહેનત છતાં કોરોના વાયરસને કાબૂમાં લેવો મુશ્કેલ બની રહ્યો છે તો ખાસ કરીને અમદાવાદમાં પરિસ્થિતિ સુધરવાને બદલે દિવસેને દિવસે બગડતી જાય છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ એક પત્રકાર પરિષદ મારફતે આપી હતી.
ગુજરાતમાં કોરોના સંકટ યથાવત
છેલ્લા 24 કલાકમાં 396 નવા કેસ નોંધાયા
અમદાવાદમાં કોરોનાના નવા 277 કેસ નોંધાયા
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની વિગત આપતા કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 396 નવા કોરોના વાયરસના કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 13669 થઇ છે.
અમદાવાદમાં કોરોનાના નવા 277 કેસ નોંધાયા
અમદાવાદમાં સૌથી વધુ 277 કેસ નોંધાયા છે તો વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 35 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 289 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 6169 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
છેલ્લા 24 કલાકમાં જિલ્લા પ્રમાણે નોંધાયેલ કોરોના વાયરસના કેસની વિગત
અમદાવાદ
277
સુરત
29
વડોદરા
35
ગાંધીનગર
9
આણંદ
3
રાજકોટ
4
અરવલ્લી
5
મહેસાણા
4
મહીસાગર
2
ખેડા
2
પાટણ
2
ગીર-સોમનાથ
6
નવસારી
1
જુનાગઢ
8
પોરબંદર
1
સુુરેન્દ્રનગર
2
મોરબી
1
તાપી
3
અમરેલી
2
કુલ
396
24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત આપતા અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે, ગત 24 કલાકમાં 27 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 829 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે.
હાલ ગુજરાતમાં 73 દર્દીઓ વેન્ટિલેટર પર
આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં કોરોનાના 73 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 6598 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 178068 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 13669 પોઝિટિવ આવ્યા છે તો 164399 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.