કોરોના વાયરસે સમગ્ર વિશ્વ અને દેશમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકારે લૉકડાઉન 4.0માં કેટલીક છૂટછાટ આપી છે. રાજ્યના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે કોરોના વાયરસના નવા કેસ, મોત, રિકવરી અને ટેસ્ટ અંગે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ એક પત્રકાર પરિષદ યોજી હતી.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસ 371 નોંધાયા
રાજ્યમાં કોરોના વાયરસનો રિકવરી રેટ 42.50 ટકા થયો
અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોનાનો આંકડો 12910 થયો
રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં વધુ 371 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાનાં કુલ પોઝિટિવ કેસોનો આંક 12910 પર પહોંચ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાએ વધુ 24 લોકોનો ભોગ લીધો છે. તો અત્યાર સુધી કુલ 773 લોકોનાં અવસાન થયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના વાયરસનો રિકવરી રેટ 42.50 ટકા થયો છે. રાજ્યમાં વધુ 269 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધી કુલ 5488 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5380 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ આ માહિતી આપી હતી.
અમદાવાદના કુલ કેસ 10 હજાર નજીક
રાજ્યમાં કોરોનાના નવા 371 કોરોનાના કેસ નોંધાયા છે તેમાંથી માત્ર અમદાવાદના જ 233 કેસ છે. જેથી અમદાવાદમાં કુલ કોરોનાનો આંકડો 9449 કેસનો આંકડો થયો છે.
ટોપ 10 શહરોમાં ગુજરાતના 2 શહરો
ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે દેશના સૌથી વધુ કેસ ધરાવતા શહેરોમાં 2 ગુજરાતના શહેરોના નામ આવ્યા છે. ટોપ 10 શહેરોમાં ગુજરાતના 2 શહેરોમાં સૌથી વધુ કેસ નોંધાયો છે. અમદાવાદ ત્રીજા અને સુરત 10માં ક્રમાકે છે.
છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લામાં નોંધાયેલા કોરોનાના કેસની વિગત
અમદાવાદ
233
સુરત
34
વડોદરા
24
મહેસાણા
13
બનાસકાંંઠા
11
મહીસાાગર
9
અરવલ્લી
7
ગીર-સોમનાથ
6
ગીાંધીનગર
5
કચ્છ
4
જામનગર
3
સાબરકાંઠા
3
દાહોદ
3
નવસારી
3
સુરેન્દ્રનગર
3
અન્ય રાજ્ય
3
નર્મદા
2
જુનાગઢ
2
પંચમહાલ
1
ખેડા
1
પાટણ
1
કુલ
371
દેશ અને રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના રિકવરી રેટમાં વધારો
મહત્વનું છે કે, દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના રિકવરી રેટમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ દર્દીઓના સાજા થવાનો દર 40.32 ટકા થયો છે. 1,13,321 પોઝિટિવ કેસમાંથી 45,900 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી 26,15,920 સેમ્પલના પરીક્ષણ કરાયા. છેલ્લા 24 કલાકમાં 1,03,532 સેમ્પલનું પરીક્ષણ કરાયું છે. ગુજરાતમાં કોરોના વાયરસનો રિકવરી રેટ 42.50 ટકા થયો છે.