કોરોના વાયરસે ગુજરાતમાં ભરડો લીધો છે. તો લૉકડાઉનમાં પણ સરકારે ઘણી બધી છૂટછાટ આપી છે. આ તરફ અમદાવાદની પરિસ્થિતિ સુધરવાને બદલે દિવસેને દિવસે બગડતી જાય છે. કારણ કે, રાજ્યના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે, આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ એક પત્રકાર પરિષદ મારફતે આપી હતી.
રાજ્યમાં કોરોના બન્યો બેકાબૂ
છેલ્લા 24 કલાકમાં 398 નવા કેસ નોંધાયા
રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા 12539 થઇ
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની વિગત આપતા કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 398 નવા કોરોના વાયરસના કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 12539 થઇ છે.
અમદાવાદમાં કોરોનાના નવા 271 કેસ નોંધાયા
અમદાવાદમાં સૌથી વધુ 271 કેસ નોંધાયા છે, જેમાં અત્યાર સુધીમાં 602 લોકોના કોરોના વાયરસની સારવાર દરમિયા મોત થયાં છે. તો અત્યાર સુધીમાં 3130 દર્દીઓ ડિસ્ચાર્જ થયાં છે. આમાં અમદાવાદની સ્થિતિ હાલ સૌથી ગંભીર છે. તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 37 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 167 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 5219 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લામાં નોંધાયેલા કોરોનાના કેસની વિગત
અમદાવાદ
271
સુરત
37
વડોદરા
26
મહીસાાગર
15
પાટણ
15
કચ્છ
5
અરવલ્લી
4
ગાંધીનગર
3
સાબરકાંઠા
3
નવસારી
3
સુરેન્દ્રનગર
3
બનાસકાંંઠા
2
આણંદ
2
ખેડા
2
વલસાડ
2
જામનગર
1
ભરૂચ
1
દાહોદ
1
જૂનાગઢ
1
અન્ય રાજ્ય
1
કુલ
398
24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત આપતા અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે, ગત 24 કલાકમાં 30 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 749 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે.
હાલ ગુજરાતમાં 47 દર્દીઓ વેન્ટિલેટર પર
આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં કોરોનાના 47 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 6524 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 160772 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 12539 પોઝિટિવ આવ્યા છે તો 148233 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.