ગુજરાતમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. રાજ્ય સરકાર તથા તંત્રની રાત-દિવસની મહેનત છતાં કોરોના વાયરસને કાબૂમાં લેવો મુશ્કેલ બની રહ્યો છે તો ખાસ કરીને અમદાવાદમાં પરિસ્થિતિ સુધરવાને બદલે દિવસેને દિવસે બગડતી જાય છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ એક પત્રકાર પરિષદ મારફતે આપી હતી.
ગુજરાતમાં કોરોના બન્યો બેકાબૂ
અમદાવાદમાં કોરોના વાયરસના નવા 262 કેસ નોંધાયા
સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 12141 થઇ
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની વિગત આપતા કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 395 નવા કોરોના વાયરસના કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 12141 થઇ છે.
અમદાવાદમાં કોરોનાના નવા 262 કેસ નોંધાયા
અમદાવાદમાં સૌથી વધુ 262 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 29 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કચ્છ જિલ્લામાં પણ ચોંકાવનારા 21 કોરોના વાયરસના કેસ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 52 કેસ નોંધાયા હતા જે પૈકી હાલ 45 એક્ટિવ કેસ છે. તો અત્યાર સુધીમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 239 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 5043 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
રાજ્યના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત
અમદાવાદ
263
સુરત
29
વડોદરા
18
ગાંંધીનગર
10
જામનગર
7
સાબરકાંંઠા
7
કચ્છ
21
મહેસાણા
5
સુરેન્દ્રનગર
5
ખેડા
4
પાટણ
4
ભરૂચ
4
બનાસકાંઠા
3
મહીસાગર
3
ગીર સોમનાથ
3
જૂનાગઢ
3
ભાવનગર
2
રાજકોટ
2
અરવલ્લી
1
છોટા ઉદેપુર
1
તાપી
1
કુલ
395
24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત આપતા અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે, ગત 24 કલાકમાં 25 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 719 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે.
હાલ ગુજરાતમાં 49 દર્દીઓ વેન્ટિલેટર પર
આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં કોરોનાના 49 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 154674 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 12141 પોઝિટિવ આવ્યા છે તો 142533 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.