ગુજરાતમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. રાજ્ય સરકાર તથા તંત્રની રાત-દિવસની મહેનત છતાં કોરોના વાયરસને કાબૂમાં લેવો મુશ્કેલ બની રહ્યો છે તો ખાસ કરીને અમદાવાદમાં પરિસ્થિતિ સુધરવાને બદલે દિવસેને દિવસે બગડતી જાય છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ એક પત્રકાર પરિષદ મારફતે આપી હતી.
કોરોના વાયરસે ગુજરાતમાં મચાવ્યો હાહાકાર
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 366 કેસ નોંધાયા
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની વિગત આપતા કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 366 નવા કોરોના વાયરસના કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 11746 થઇ છે.
અમદાવાદમાં કોરોનાના નવા 263 કેસ નોંધાયા
અમદાવાદમાં સૌથી વધુ 263 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 33 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 305 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 4804 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત
અમદાવાદ
263
વડોદરા
22
સુરત
33
ભાવનગર
4
ગાંધીનગર
12
રાજકોટ
1
અરવલ્લી
3
મહીસાગર
2
ખેડા
1
પાટણ
7
સાબરકાંઠા
1
દાહોદ
4
કચ્છ
3
વલસાડ
6
જુનાગઢ
3
સુરેન્દ્રનગર
1
કુલ
366
24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત આપતા અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે, ગત 24 કલાકમાં 35 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 694 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે.
હાલ ગુજરાતમાં 38 દર્દીઓ વેન્ટિલેટર પર
આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં કોરોનાના 38 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 148824 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 11746 પોઝિટિવ આવ્યા છે તો 137078 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.