કોરોનાને લઇને લૉકડાઉન પાર્ટ-4ની જાહેરાત થઇ ચૂકી છે. બીજી તરફ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોનાનો આંકડો 10 હજારને પાર થઇ ચૂક્યો છે. ત્યારે સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ, મોત અને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓ અંગે આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 391 કેસ નોંધાયા છે. જેને લઇને રાજ્યમાં કુલ 11380 કેસ થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 391 નવા પોઝિટિવ કેસ નોંધાયા
24 કલાકમાં 191 દર્દીઓ સાજા થયા
ગુજરાતનો રિકવરી રેટ વધ્યોઃ જયંતિ રવિ
પત્રકાર પરિષદને સંબોધતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 11380 થઇ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 34 લોકોનાં મૃત્યુ થયા તો કોરોનાના 191 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં છે. જેને લઇને ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 4499 થઇ છે.
જયંતિ રવિએ જણાવ્યું કે રાજ્યમાં રિકવરી રેટ વધ્યો છે. ગુજરાતનો રિકવરી રેટ 39.53% થયો છે. વધુમાં તેમણે કહ્યું કે, વિશ્વમાં વેન્ટિલેટરની અછત છે. ભારતમાં વેન્ટિલેટર મળવામાં મુશ્કેલી પડી રહી છે. જેને લઇને ગુજરાતથી ધમણ-1 વેન્ટિલેટર અન્ય રાજ્યમાં પણ મોકલાશે. આ ધમણ-1માં અન્ય પાર્ટ્સ લગાવવામાં આવશે. વધારાની એસેસરિઝ લગાવવામાં આવશે.