કોરોના આફતે જાણે ગુજરાતના બાનમાં લીધું હોય તેવા હાલ છે. અમદાવાદમાં ચિંતાજનક રીતે કોરોના વાયરસના કેસ નોંધાયા છે. તંત્ર અને સરકાર આ આફત સામે લડવા માટે સતત મહેનત કરી રહી છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ એક પત્રકાર પરિષદ મારફતે આપી હતી.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની વિગત આપતા કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 340 નવા કોરોના વાયરસના કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 9932 થઇ છે.
અમદાવાદમાં કોરોનાના નવા 261 કેસ નોંધાયા
અમદાવાદમાં સૌથી વધુ 261 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 32 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 282 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 4035 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
અમદાવાદ
261
વડોદરા
15
સુરત
32
રાજકોટ
12
ગાંધીનગર
11
પાટણ
1
ગીર-સોમનાથ
1
ખેડા
1
જામનગર
2
સાબરકાંઠા
1
અરવલ્લી
1
મહીસાગર
1
સુરેન્દ્રનગર
1
કુલ
340
24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત આપતા અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે, ગત 24 કલાકમાં 20 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 606 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે.
હાલ ગુજરાતમાં 43 દર્દીઓ વેન્ટિલેટર પર
આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં કોરોનાના 43 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 127859 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 9932 પોઝિટિવ આવ્યા છે તો 117927 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.