ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં સમગ્ર રાજ્યના સૌથી વધુ કેસ નોંધાયે છે, ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 362 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં આજે 267 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
અમદાવાદમાં નવા 267 કેસ નોંધાયા઼
રાજ્યમાં કુલ કેસ 8904 થયાં
અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના 8904 પોઝિટિવ લોકોની સંખ્યા પહોંચી છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 24 દર્દીઓના આજે મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 537 દર્દીઓના મૃત્યુ થયા છે. તો તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 36.5% પર પહોંચ્યો છે. જયંતિ રવિએ કહ્યું કે, રાજ્યમાં કોરોનાના વધતાં કેસોની પરિસ્થિતિ આરોગ્ય તંત્રના અંકુશમાં છે, અમદાવાદની સ્થિતિ પણ કંટ્રોલમાં છે.
આજે રાજ્યમાં 466 દર્દીઓ થયાં સાજા
આ સાથે આજ રોજ 466 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધામાં કુલ કોરોનાગ્રસ્ત 3246 લોકોએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે.
આજના નવા કેસ
અમદાવાદ
267
વડોદરા
27
સુરત
30
ગાંધીનગર
3
પાટણ
2
છોટા ઉદેપુર
3
કચ્છ
6
મહેસાણા
7
ગીર-સોમનાથ
5
ખેડા
3
જામનગર
1
સાબરકાઠા
1
અરવલ્લી
1
મહેિસાગર
2
દેવભુમિ દ્વારકા
1
ભાવનગર
2
ભરૂચ
1
કુલ
362
30 દર્દીઓ વેન્ટિલેટર પર
આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 30 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 5091 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 119537 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 8904 પોઝિટિવ આવ્યા છે તો 110633 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.