લૉકડાઉન પાર્ટ-3 પૂર્ણ થવાને આરે છે તેમ છતાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર બની છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 347 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં આજે કેસ 268 નવા કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોના વાયરસ બન્યો બેકાબૂ
છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 347 કેસ
અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 8542 થઇ છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 દર્દીઓના આજે મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 513 દર્દીઓના મૃત્યુ થયા છે.
આજે રાજ્યમાં 235 દર્દીઓ થયાં સાજા
આ સાથે આજ રોજ 235 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધામાં કુલ કોરોનાગ્રસ્ત 2780 લોકોએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે.
આજના નવા કેસ
અમદાવાદ
268
વડોદરા
29
સુરત
19
ભાવનગર
1
આણંદ
2
ભરૂચ
3
ગાંધીનગર
10
પંચમહાલ
4
નર્મદા
1
મહેસાણા
2
જામનગર
3
સાબરકાંઠા
3
અરવલ્લી
1
જુનાગઢ
1
કુલ
374
31 દર્દીઓ વેન્ટિલેટર પર
આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 31 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 5218 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 116471 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 8542 પોઝિટિવ આવ્યા છે તો 107929 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.