કોરોના વાયરસ રાજ્યમાં બેકાબૂ બનતો જાય છે તો બીજી તરફ અન્ય પ્રાંતમાંથી આવેલા શ્રમિકો માદરે વતન જવા માટે હોબાળો મચાવી રહ્યા છે. આ તમામ ઘટના વચ્ચે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 398 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં આજે 278 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત
છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 398 કેસ
24 કલાકમાં સૌપ્રથમ વખત સૌથી વધુ 454 કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 8195 પર પહોંચી છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 દર્દીઓના આજે મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 493 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના દર્દીઓનો ડિસ્ચાર્જ રેટ 32.64% થયો છે.
આજે રાજ્યમાં 454 દર્દીઓ થયાં સાજા
આ સાથે આજ રોજ 454 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધામાં કુલ કોરોનાગ્રસ્ત 2545 લોકોએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારની ડિસ્ચાર્જ કરવાની નવી ગાઈડલાઈનને કારણે 24 કલાકમાં સૌપ્રથમ વખત સૌથી વધુ 454 કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા નવા કેસની માહિતી
અમદાવાદ
278
સુુરત
41
વડોદરા
25
ગાંંધીનગર
10
મહેસાણા
8
ગીર સોમનાથ
8
સાબરકાંઠા
6
બનાસકાંંઠા
4
પાટણ
3
બોટાદ
3
જામનગર
3
પંચમહાલ
2
અરવલ્લી
2
સુુરેન્દ્રનગર
2
આણંદ
1
કચ્છ
1
મોરબી
1
કુલ
398
31 દર્દીઓ વેન્ટિલેટર પર
આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 31 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 5126 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય સચિવે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 113493 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 8195 પોઝિટિવ આવ્યા છે તો 105298 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.