સમગ્ર દેશમાં કોરોના વાયરસે કાળો કહેર વરસાવ્યો છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર બની છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 394 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં આજે 280 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધ્યો
છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 394 કેસ
કોરોના સાથે જીવતા શીખવું પડશે તેવી જયંતિ રવિએ કરી વાત
અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 7797 પહોંચી છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 23 દર્દીઓના આજે મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 472 દર્દીઓના મૃત્યુ થયા છે.
આજે રાજ્યમાં 219 દર્દીઓ થયાં સાજા
આ સાથે આજ રોજ 219 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધામાં કુલ કોરોનાગ્રસ્ત 2019 લોકોએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે.
આજના નવા કેસ
અમદાવાદ
280
વડોદરા
28
સુરત
30
રાજકોટ
2
ભાવનગર
10
ભરૂચ
1
ગાંધીનગર
22
પંચમહાલ
2
બનાસકાંઠા
2
બોટાદ
2
દાહોદ
1
ખેડા
2
જામનગર
7
અરવલ્લી
4
મહીસાગર
1
કુલ
394
24 દર્દીઓ વેન્ટિલેટર પર
આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 24 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 5210 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 109650 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 7797 પોઝિટિવ આવ્યા છે તો 101853 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.