ગુજરાતમાં કોરોનાની સ્થિતિ બદ્થીબદ્તર થતી જાય છે. કોરોના વાયરસ ગુજરાતમાં વકર્યો છે. આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવિની ટીમમાં સામેલ IAS અધિકારી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. છેલ્લા અઢી મહિનાથી કોરોના માટે કામ કરનાર આ અધિકારી કોરનાગ્રસ્ત થતાં સચિવાલયમાં સોપો પડી ગયો છે.
ગુજરાતનું આરોગ્ય વિભાગ પણ કોરોનાની ઝપેટમાં
વરિષ્ઠ IAS અધિકારી હરિત શુક્લા કોરોના સંક્રમિત
જયંતિ રવિની ટીમમાં હતા સામેલ
દેશમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. આજે ગુજરાતના સિનિયર IAS અધિકારી કોરોનાને કોરોના પોઝિટિવ આવ્યો છે.જયંતિ રવિની ટીમના IAS હારિત શુક્લાને કોરોના પોઝિટિવ આવતા પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.
તેઓ આરોગ્ય વિભાગમાં અઢી મહિનાથી સેવા આપી રહ્યાં છે. IAS હરિત શુક્લા છેલ્લા એક સપ્તાહથી રજા પર છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 477 પોઝિટિવ કેસ નોંધાયા. એક જ દિવસમાં વધુ 31 દર્દીઓએ કોરોના વાયરસના કારણે દમ તોડ્યો. બીજી તરફ એક દિવસમાં 321 દર્દીઓને સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદની સ્થિતિ ખરાબ છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 477 કેસમાંથી અમદાવાદમાં જ 346 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત સુરતમાં 57, વડોદરામાં 35 અને ગાંધીનગરમાં 4 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં હવે કુલ પોઝિટિવનો આંક 20 હજાર 574એ પહોંચી ગયો છે. જ્યારે કુલ 1 હજાર 280 લોકોના મોત થયા છે. તો કુલ 13 હજાર 964 લોકોને હોસ્પિટલમાંથી રજા પણ અપાઈ છે. છેલ્લા થોડા દિવસથી ગુજરાતનાં રિકવરી રેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.