સુરતમાં આરોગ્યમંત્રી કુમાર કાનાણી ખોવાયા હોવાના પોસ્ટર લાગ્યા છે. શહેરના વરાછા, સરથાણા વિસ્તારમાં કુમાર કાનાણીના AAP પાર્ટીએ પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરમાં આમ આદમી પાર્ટીએ લખ્યુ છે કે, આરોગ્યમત્રી કોઈને મળે તો સિવિલ પહોંચાડવા વિનંતી.
આરોગ્યમંત્રી ખોવાયાના પોસ્ટર
વરાછા, સરથાણામાં લાગ્યા પોસ્ટર
AAPએ લગાવ્યા પોસ્ટર
સુરતમાં કોરોના વધ્યા બાદ પણ મંત્રી દેખાતા નથી. મહત્વનુ છે કે, સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ત્યારે અગ્ર સચિવ જયંતિ રવિ પણ ત્રણ દિવસથી સુરતની મુલાકાતે છે તેમ છતા મંત્રી દેખાતા નથી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્રવધુનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
ગુજરાત માથે કોરનાનો કોપ
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યમાં એક દિવસમાં વધુ 681 કેસ નોંધાયા છે.
જ્યારે 19 લોકોનાં મૃત્યુ થયા છે. તો બીજી તરફ 563 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા પણ અપાઈ છે.
સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે..અમદાવાદમાં એક દિવસમાં 202 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 191 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં 22, બનાસકાંઠામાં અને સુરેન્દ્રનગરમાં 12-12 ભાવનગર, વડોદરામાં 11-11, જામનગર, ભરૂચ અને પાટણમાં 10-10 કેસ નોંધાયા છે.
આમ રાજ્યમાં કોરોનાનાં કેસોનો કુલ આંક 33,999 પર પર પહોંચી ગયો છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 1,888એ દમ તોડ્યો છે. તો કુલ 24,601 લોકો સાજા પણ થયા છે.
જિલ્લા વાર કેસની વિગતો
અમદાવાદમાં આજે કોરોનાના નવા 202 કેસ, 147 ડિસ્ચાર્જ