ગુજરાતમાં આરોગ્યમત્રી કુમાર કાનાણીના પુત્રવધૂ ખુદ કોરનાની ઝપેટમાં આવી ગયા છે. મંત્રી ગાંધીનગર હોવાથી હાલ ચેપ લાગવાની શક્યતા ઓછી છે. પણ કોરોનાએ કાહળે કેર કર્યુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 540 કેસો નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 27 દર્દીઓનાં અવસાન થયા છે. અને 340 જેટલાં દર્દીઓ સ્વસ્થ થયા હતા
મંત્રી કુમાર કાનાણીના દીકરાનો રિપોર્ટ આવ્યો નેગેટિવ
આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્રવધૂ કોરોનાગ્રસ્ત થયા છે. કુમાર કાનાણીના દીકરાને શંકાસ્પદ લક્ષણ દેખાતા કોરોનાનો રિપોર્ટ કરાવાયો હતો. મંત્રી કુમાર કાનાણીના દીકરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલમાં તેમની પુત્રવધૂની નવી સિવિલમાં સારવાર ચાલી રહી છે.
મહત્વનું છે કે, આરોગ્યમંત્રી કુમાર કાનાણી છેલ્લા 15 દિવસથી ગાંધીનગરમાં છે.. જેથી તેઓ પરિવારના સંપર્કમાં આવ્યા નથી
ગુજરાતમાં દિવસે દિવસે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ કેસ નોંધાઇ રહ્યાં છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 540 કેસો નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 27 દર્દીઓનાં અવસાન થયા છે. અને 340 જેટલાં દર્દીઓ સ્વસ્થ થયા હતા. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 26 હજાર 198 પર પહોંચ્યો છે. તો મૃત્યુ આંક 1 હજાર 619 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 18 હજાર 167 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ
24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ 312, સુરત 93, વડોદરા 45, મહેસાણા 12, ગાંધીનગર 9, જામનગર 9, ભરૂચ 9, પાટણ 8, અરવલ્લી 7, રાજકોટ 4, કચ્છ, જુનાગઢ અને નર્મદામાં 4-4, વલસાડ 3, ભાવનગર, સાબરકાંઠા, ખેડા , દાહોદ અને સુરેન્દ્રનગરમાં 2-2, બનાસકાંઠા, મહીસાગર, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર અને નવસારીમાં 1-1 કેસ નોંધાયો હતો.રાજ્યમાં હાલ કોરોનાનાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 6 હજાર 412 છે. જેમાંથી 67 દર્દીઓની હાલત ગંભીર છે. જ્યારે 6 હજાર 345 દર્દીઓની હાલત સ્થિર છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 21, સુરતમાં 4, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે.