ભારતમાં કોરોનાના કેસ આજે 21 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 71 હજારને પાર પહોંચી ચૂક્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખાણીએ સારો છે. તો ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1078 કોરોનાના કેસ નોંધાયા છે.
સુરત, રાજકોટ, વડોદરા, અમદાવાદમાં કોરોનાનો કહેર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,078 નવા કેસ
ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 71,064 પર પહોંચ્યા
ગુજરાતમાં કોરોનાનો આંકડો 71 હજારને પાર પહોંચી ચૂક્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 1,078 કેસ નોંધાતા કુલ આંકડો 71,064 પર પહોંચ્યો છે. આજે 1,078 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 54,138 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 73 ટકાથી ઉપર છે. આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ અને વડોદરામાં કોરોનાના સૌથી દર્દીઓ વધુ સાજા થયા છે. રાજ્યમાં હવે 14,727 દર્દીઓ સારવાર હેઠળ છે.
ક્યાં સૌથી વધુ કોરોના દર્દીઓ થયા સાજા?
રાજ્યમાં આજે રાહતના સમાચાર એ છે કે, છેલ્લા 24 કલાકમાં 1,078 કેસ નોંધાયા છે જેની સામે 1,311 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જેમાં સુરતમાં 589, અમદાવાદમાં 106 અને વડોદરામાં 111 સૌથી વધુ દર્દીઓ સાજા થયા છે. મહત્વનું છે કે, ગઇકાલે(8 ઓગસ્ટ) 1101 કેસ નોંધાયા છે જેની સામે 1135 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. 7 ઓગસ્ટે 1074 કેસ નોંધાયા હતા જેની સામે 1370 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા.
કોરોનાથી કેટલા દર્દીના મોત ?
રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને અત્યાર સુધીમાં રાજ્યમાં 2,654 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. મહત્વનું છે કે, ભારતમાં કોરોના વાયરસના કેસ 21 લાખને પાર થઇ ચૂક્યા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં દેશમાં 43 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે.
રાજ્યના વિવિધ જિલ્લામાં નોંધાયેલા આજના કોરોના વાયરસના કેસની વિગત