ભારતમાં કોરોના વાયરસના કેસ 68 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે. તો ગુજરાતમાં આજે 1,278 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રિકવરી રેટ સારો છે. રાજ્યમાં 16,487 એક્ટિવ કેસ છે.
નવા 1,278 કોરોના વાયરસના કેસ નોંધાયા
કુલ આંકડો 1,47,951 પર પહોંચ્યો
આજે 1,266 દર્દીઓ સાજા થયા અને 10 દર્દીઓના મોત થયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52,465 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1,278 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,47,951 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 86.46 ટકા છે. આજે 1,278 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,27,923 પર પહોંચ્યો છે. આજે 10 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,541 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 16,485 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, કચ્છ અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 48,58,505 ટેસ્ટ કરવામાં આવ્યા છે. મહાનગરો બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ 40 દર્દીઓ સાજા થયા છે.
7 જિલ્લામાં કુલ 10 દર્દીઓના મોત
આજે કોરોના વાયરસે 10 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 2, અમરેલીમાં 1, બનાસકાંઠામાં 1, ગીર સોમનાથમાં 1, પાટણમાં 1 અને તાપીમાં 1 દર્દીના મોત થયા છે.
આ 5 મહાનગરોમાં ચિંતાજનક કેસ
રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે સુરતમાં 270, અમદાવાદમાં 195, રાજકોટમાં 105, વડોદરામાં 124 અને જામનગરમાં 89 કોરોનાના કેસ નોંધાયા છે. જોકે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના કેસની જિલ્લાવાર વિગત