Gujarat health department coronavirus update 8 january 2021 Gujarat
મહામારી /
685 નવા કેસ સાથે 892 દર્દીઓ થયાં સાજા : રાજ્યમાં અત્યાર સુધીમાં 2,50,598 કોરોનાના કેસ નોંધાયા
Team VTV08:44 PM, 08 Jan 21
| Updated: 08:49 PM, 08 Jan 21
8 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 685 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાહતના સમાચાર છે કે રિકવરી રેટ વધ્યો છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે સાથે મહાનગરોમાં પણ કોરોનાના કેસ 150થી ઓછા નોંધાયા છે.
ગુજરાતમાં કોરોના વાયરસના 685 નવા કોરોનાના કેસ
રાજ્યમાં આજે 892 દર્દી સાજા થયાં
રાજ્યમાં 9 હજારથી ઓછા એક્ટિવ કેસ
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 685 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 250,598 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 95.05 ટકા થયો છે. તો ગુજરાતમાં આજે 49,952 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 1,00,53,558 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.
રાજ્યમાં 9 હજારથી ઓછા એક્ટિવ કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 892 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,38,114 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 8149 એક્ટિવ કેસ છે. જેમાંથી 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં આજે 3 દર્દીના મોત
આજે કોવિડ-19થી 3 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4335 થઇ ગઇ છે. આજે અમદાવાદમાં 2 અને તાપીમાં 1 આમ 24 કલાક દરમિયાન કુલ 3 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ દર્દીઓના અમદાવાદમાં મૃત્યુ થઇ રહ્યા છે.
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 131-ગ્રામ્યમાં 3 કેસ, સુરત શહેરમાં 99-ગ્રામ્યમાં 27 કેસ, વડોદરા શહેરમાં 90 ગ્રામ્યમાં 27 કેસ, રાજકોટ શહેરમાં 60-ગ્રામ્યમાં 19 કેસ, નોંધાયા છે.
ગત 24 કલાક દરમિયાન રાજ્યમાં નોંધાયેલા જિલ્લાવાર આંકડા