ભારતમાં કોરોના વાયરસના કેસ 67 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે. તો ગુજરાતમાં આજે 1,311 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રિકવરી રેટ સારો છે. રાજ્યમાં 16,485 એક્ટિવ કેસ છે.
નવા 1,311 કોરોના વાયરસના કેસ નોંધાયા
કુલ આંકડો 1,46,673 પર પહોંચ્યો
આજે 1,414 દર્દીઓ સાજા થયા અને 9 દર્દીઓના મોત થયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51,385 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1,311 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,46,673 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 86.35 ટકા છે. આજે 1,414 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,26,657 પર પહોંચ્યો છે. આજે 9 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,531 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 16,485 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, કચ્છ અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 48,06,040 ટેસ્ટ કરવામાં આવ્યા છે. મહાનગરો બાદ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 66 દર્દીઓ સાજા થયા છે.
4 જિલ્લામાં કુલ 9 દર્દીઓના મોત
આજે કોરોના વાયરસે 9 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 4, સુરતમાં 3, મહેસાણામાં 1 અને વડોદરામાં 1નું મોત થયા છે.
આ 5 મહાનગરોમાં ચિંતાજનક કેસ
રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે સુરતમાં 280, અમદાવાદમાં 188, રાજકોટમાં 134, વડોદરામાં 123 અને જામનગરમાં 93 કોરોનાના કેસ નોંધાયા છે. જોકે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના કેસની જિલ્લાવાર વિગત