કોરોનાની રસીકરણનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 480 કેસ નોંધાયા છે.
આજે રાજ્યમાં 480 કોરોનાના નવા કેસ સાથે 369 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં કુલ 40 દર્દીઓ વેન્ટિલેટર પર
અત્યાર સુધીમાં કુલ 4412 દર્દીના કોરોનાથી થયા મોત
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ વિગત પ્રમાણે, 24 કલાકમાં 369 દર્દીઓ સાજા થયાં છે. આજે કોરોનાથી રાજ્યમાં એકપણ દર્દીનું મોત થયું નહીં હોવાનું સામે આવ્યું છે. તો હાલ 40 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જો કે, વેક્સિનેસન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે
અત્યાર સુધીમાં કુલ 4412 દર્દીના કોરોનાથી થયા મોત
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,64,564 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 4412 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 2749 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ વધીને ઘટીને 97.36 ટકા થયો છે.
મહાનગરોમાં ફરીવાર ચિંતા વધી
કોરોનાની શરૂઆતથી જ અમદાવાદમાં સંક્રમણ સૌથી વધુ કોરોના ફેલાયો છે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં 98 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 3 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 91 કેસ, વડોદરા શહેરમાં 80 કેસ, રાજકોટ શહેરમાં 45 કેસ નોંધાયા છે.
સુરતમાં આજે રાજ્યના સૌથી વધુ કેસ નોંધાયા
આપને જણાવી દઇએ કે, રાજ્યના સૌથી વધુ કેસ આજે સુરતમાં નોંધાયા છે. જેમાં સુરત શહેરમાં 91 તથા ગ્રામ્યમાં 14 કેસ નોંધાતા ચિંતા વધી છે.
11,09,515 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 11,09,515 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો અત્યાર સુધીમાં 2,45,010 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતા જ શહેરોમાં કોરોનાના કેસ વધ્યા
ગુજરાતમાં 6 મહાનગરપાલિકા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગરની 21 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણી પહેલા જ કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો હતો. જોકે નેતાઓની સભામાં અને પ્રચારમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો, ભીડ ભેગી કરી અને હવે શહેરોમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે.
કોરોનાની નવી પેટર્નને લઈ ડૉ.વસંત પટેલે વ્યક્ત કરી ચિંતા
ડૉ.વસંત પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કેસ વધી શકે છે. આફ્રિકા-બ્રાઝિલનો નવો સ્ટ્રેન ખતરનાક છે. ચૂંટણીના પર્વ દરમિયાન લોકોને ડૉ.વસંતે અપીલ કરી છે. ચૂંટણીમાં કાર્યકર્તાઓએ નિયમોનો ભંગ કરતા દેખાયા છે. લોકો કોવિડ ગાઇડલાઇનનું પાલન કરે તેવી અપીલ કરી.